સાબરકાંઠા : વાદળછાયા વાતાવરણને લઈને વિવિધ પાકમાં નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ..!

હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જીલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે. સતત વાદળછાયા વાતાવરણને લઈને પાકમાં નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે.

New Update
સાબરકાંઠા : વાદળછાયા વાતાવરણને લઈને વિવિધ પાકમાં નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ..!

હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જીલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે. સતત વાદળછાયા વાતાવરણને લઈને પાકમાં નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે.

સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે ખેડૂતોએ ઘઉ, બટાકા, શાકભાજી સહિત અન્ય પાકોનું વિપુલ પ્રમાણમાં વાવેતર કર્યુ છે, ત્યારે છેલ્લા કેટલાય દિવસથી સતત વાતાવરણમાં બદલાવને લઈને અને વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે, અને એમાય હવામાન વિભાગ દ્વારા 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન થઈ શકે તેમ છે. આ સાથે જ ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

જોકે, સાબરકાંઠા જીલ્લામાં વાવેતરની વાત કરીએ તો ઘઉંનું 84 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. તો બટાકાનું 24 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જીરૂ, વરિયાળી, રાયડો, શાકભાજી સહિત અન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. તો સામે હવામાન વિભાગની આગાહી છે કે, 2 દિવસમાં હળવોથી ભારે વરસાદ વરસી શકે તેમ છે. જેના કારણે બટાકા, ઘઉ સહિત અન્ય પાકોને નુકશાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઇ રહી છે.

તો બીજી તરફ, બટાકાના વાવેતરના 50 દિવસ થયા છે. તેમ છતા પણ બટાકાની સાઈઝમાં વધારો થયો નથી. વાદળછાયા વાતાવરણને લઈ વિવિધ શાકભાજીમાં રોગચાળો પણ વધ્યો છે, જ્યારે વાવેતર શરૂ કરવામાં આવ્યું, ત્યારે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. તેવામાં પણ ખેડૂતોને નુકશાન થયું હતું. અને હવે જો ફરી આગાહી પ્રમાણે કમોસમી વરસાદ વરસે તો ચોક્કસ ખેડૂતોને ભારે નુકશાન થશે અને ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તેમાં નવાઈ નહીં.

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.