સાબરકાંઠા: ટપક પદ્ધતિ અપનાવી ખેડૂતોએ કર્યું બટાકાના પાકનું મબલખ વાવેતર

સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે બટાકાનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાકાના પાકનો વધુ ભાવ મળવાની આશાએ ખેડૂતોએ વધુ વાવેતર કર્યુ છે.

New Update
  • સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે બટાકાના વાવેતરમાં વધારો

  • બટાકાનું વાવેતર વધુ થતાં ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ

  • ગત વર્ષ કરતાં આ વર્ષે પાકનો મળી શકે છે વધુ ભાવ

  • વધુ ભાવ મળવાની આશાએ ખેડૂતોએ કર્યું વધુ વાવેતર

  • ટપક પદ્ધતિથી પંથકના ખેડૂતો કરી રહ્યા છે બટાકાની ખેતી

સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે બટાકાનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છેજ્યાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાકાના પાકનો વધુ ભાવ મળવાની આશાએ ખેડૂતોએ વધુ વાવેતર કર્યુ છે.

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજતલોદહિંમતનગરતખતગઢ અને ઈડર સહિતના તાલુકામાં ખેડૂતોએ બટાકાનું મબલખ વાવેતર કર્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર તો વધ્યુ છે. એટલું જ નહીંઅહીનું વાતાવરણ સારું હોવાથી ખેડૂતોએ બટાકાનું વાવેતર વધુ કર્યુ છે. ગત વર્ષે ખેડૂતોને બટાકાના સારા ભાવ તો મળ્યા હતા. પરંતુ એ ભાવ યોગ્ય ન હતાત્યારે આ વર્ષે ખેડૂતોને વધુ ભાવ મળવાની આશા છે. ખાતર-બીયારણના ભાવ વધુ હોવાથી વધુ ભાવ મળવાની ખેડૂતોને આશા છે.

આમ તોતખતગઢ ગામે સૌથી વધુ વાવેતર બટાકાના પાકનું થયુ છેઅને 99 ટકાથી વધુ વાવેતર ડ્રીપ દ્વારા કરવામાં આવે છે. આમ તો એક વીઘાની વાત કરીએ તો 35થી 40 હજાર જેટલો ખર્ચ વાવેતર પાછળ થાય છેઅને એમાંથી 350થી 400 મણ જેટલુ ઉત્પાદન થતુ હોય છે. નોંધનીય છે કેઆ વર્ષે બટાકાના ભાવ ખેડૂતો ને સારા મળતા ખુશી જોવા મળી છેઅને એટલે જ આ વખતે વાવેતર પણ સારું કરવામાં આવ્યુ છે. સાથે સાથે છોડને પુરતુ પોષણ મળી રહે તેમાટે ડ્રીપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં પાણી બચાવવુ પણ જરૂરી છેત્યારે હવે ખેડૂતો પણ ડ્રીપ એટલે કેટપક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે.

 

Read the Next Article

સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં ભારે વરસાદ વચ્ચે ખેતી નિષ્ફળ જવાની સંભાવના, 15 પશુઓના પણ મોત...

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે.

New Update
  • ખેડબ્રહ્મા પંથકમાં વરસ્યો હતો અનરાધાર વરસાદ

  • લક્ષ્મીપુરાગલોડીયા રોધરા ગામે તારાજી સર્જાય

  • 700 એકર જમીન ખેતી નિષ્ફળ જવાની સંભાવના

  • વરસાદ વચ્ચે 15 જેટલા પશુઓના મોત થયા

  • નુકસાન અંગે તંત્ર પાસે લોકોની મદદની અપેક્ષા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે. રોધરા ગામે 700 એકર જેટલી જમીન ઉપર ખેતી નિષ્ફળ જવાની સંભાવનાઓ છે. તો બીજી તરફ 15 જેટલા પશુઓના મોત થયા છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના રોદરા ગામે વરસેલા 15 ઇંચ જેટલા વરસાદના પગલે સ્થાનિક કક્ષાએ ભારે તારાજી સર્જાય છે. ભારે વરસાદના પગલે સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ 700 એકર જેટલી જમીન ઉપર મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. અહી 100 ટકા ડ્રીપ ધરાવનારા ગામની સમગ્ર ટપક સિંચાઈ પણ ધસમસતા પાણીના પ્રવાહમાં ખેંચાઈ ચૂકી છેજેના પગલે ખેડૂતોને પાક સહિત ડ્રીપ તણાઈ જવાથી વ્યાપક નુકસાન સર્જાયું છે. જોકેઅડધી રાત્રે આવેલા પૂરના પગલે 10થી 15 જેટલા પશુઓના પણ મોત થયા છે. ગામમાં થયેલા પારાવાર નુકસાન મામલે સ્થાનિકો તંત્ર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે.