સાબરકાંઠા: ટપક પદ્ધતિ અપનાવી ખેડૂતોએ કર્યું બટાકાના પાકનું મબલખ વાવેતર

સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે બટાકાનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાકાના પાકનો વધુ ભાવ મળવાની આશાએ ખેડૂતોએ વધુ વાવેતર કર્યુ છે.

New Update
  • સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે બટાકાના વાવેતરમાં વધારો

  • બટાકાનું વાવેતર વધુ થતાં ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ

  • ગત વર્ષ કરતાં આ વર્ષે પાકનો મળી શકે છે વધુ ભાવ

  • વધુ ભાવ મળવાની આશાએ ખેડૂતોએ કર્યું વધુ વાવેતર

  • ટપક પદ્ધતિથી પંથકના ખેડૂતો કરી રહ્યા છે બટાકાની ખેતી

સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે બટાકાનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છેજ્યાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાકાના પાકનો વધુ ભાવ મળવાની આશાએ ખેડૂતોએ વધુ વાવેતર કર્યુ છે.

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજતલોદહિંમતનગરતખતગઢ અને ઈડર સહિતના તાલુકામાં ખેડૂતોએ બટાકાનું મબલખ વાવેતર કર્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર તો વધ્યુ છે. એટલું જ નહીંઅહીનું વાતાવરણ સારું હોવાથી ખેડૂતોએ બટાકાનું વાવેતર વધુ કર્યુ છે. ગત વર્ષે ખેડૂતોને બટાકાના સારા ભાવ તો મળ્યા હતા. પરંતુ એ ભાવ યોગ્ય ન હતાત્યારે આ વર્ષે ખેડૂતોને વધુ ભાવ મળવાની આશા છે. ખાતર-બીયારણના ભાવ વધુ હોવાથી વધુ ભાવ મળવાની ખેડૂતોને આશા છે.

આમ તોતખતગઢ ગામે સૌથી વધુ વાવેતર બટાકાના પાકનું થયુ છેઅને 99 ટકાથી વધુ વાવેતર ડ્રીપ દ્વારા કરવામાં આવે છે. આમ તો એક વીઘાની વાત કરીએ તો 35થી 40 હજાર જેટલો ખર્ચ વાવેતર પાછળ થાય છેઅને એમાંથી 350થી 400 મણ જેટલુ ઉત્પાદન થતુ હોય છે. નોંધનીય છે કેઆ વર્ષે બટાકાના ભાવ ખેડૂતો ને સારા મળતા ખુશી જોવા મળી છેઅને એટલે જ આ વખતે વાવેતર પણ સારું કરવામાં આવ્યુ છે. સાથે સાથે છોડને પુરતુ પોષણ મળી રહે તેમાટે ડ્રીપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં પાણી બચાવવુ પણ જરૂરી છેત્યારે હવે ખેડૂતો પણ ડ્રીપ એટલે કેટપક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.