સાબરકાંઠા : પ્રાંતિજ પાલિકા દ્વારા અપાતાં પીવાના ગંદા પાણીને લઈને લોકોમાં રોગચાળાની દહેશત..!

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છેલ્લા 10 દિવસથી વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી કાળુ-પીળુ તથા દુર્ગંધયુક્ત હોવાથી નગરજનો તોબા પોકારી ઉઠ્યા છે.

New Update

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છેલ્લા 10 દિવસથી વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી કાળુ-પીળુ તથા દુર્ગંધયુક્ત હોવાથી નગરજનો તોબા પોકારી ઉઠ્યા છે.

Advertisment

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આપવામાં આવતી પ્રાથમિક સુવિધાઓમાં નિષ્ફળ રહી છેત્યારે પ્રથમ પ્રાથમિકતા કેજે શુધ્ધ પીવાનું પાણી આપવામાં પણ નિષ્ફળ રહી છે. અનેકવાર પ્રાંતિજ પાલિકામાં લાલ દરવાજાખોડીયાર કુવાતપોધન વાસમોટોમાઢ અને ગોપીનાથ સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોમાં કાળુ-પીળુકચરાવાળુ અને દુર્ગંધયુક્ત આવતા પાણીને લઈને નગરજનોની ફરીયાદ બાદ પણ પ્રાંતિજ પાલિકા તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. અને હાલ તો હોતા હેચલતા હે જેવી સ્થિતી જોવા મળી રહી છે. તો બીજી તરફદુર્ગંધયુક્ત ગંદા પાણી પીવાના કારણે લોકોને ઝાડા-ઉલ્ટીપેટ અને ચામડીના રોગ હોવાની બૂમો ઉઠવા પામી છેત્યારે હાલ તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

 

Advertisment
Read the Next Article

ભરૂચ: ઓનલાઈન ગેમિંગમાં રૂ.10 લાખ હારી જતા યુવાને વાગરામાં જવેલરી શોપમાં કરી લૂંટ, પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યો

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા

New Update

ભરૂચના વાગરામાં બન્યો હતો ચકચારી બનાવ

Advertisment

જવેલરી શોપમાં થઈ હતી લૂંટ

જવેલર્સની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટ ચલાવવામાં આવી હતી

પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની કરી ધરપકડ

ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા કરી લૂંટ

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા તેણે લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.
Advertisment

ભરૂચના વાગરામાં ભરચક બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની જ્વેલરી શોપમાં લૂંટનો ચકચારી બનાવ બન્યો હતો જેમાં બુકાનીધારી ઇસમે જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 4 લાખના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.આ અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી છે.પોલીસે લૂંટના ચક્ચારી બનાવવામાં રોઝા ટંકારીયા ગામના રાકેશ પ્રજાપતિ નામના યુવાનની ધરપકડ કરી છે અને તેની પાસેથી લૂંટમાં ગયેલ રૂ.3.65 લાખના તમામ દાગીના રિકવર કરવામાં આવ્યા છે.આ સાથે જ રૂપિયા 70 હજારની કિંમતની બાઈક પણ કબજે લેવામાં આવી છે.આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે પોલીસે આરોપીની કડક પૂછતાછ  કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો.આરોપી ઓનલાઈન સટ્ટા ગેમિંગ રમતો હોય તો જેમાં તે રૂપિયા 10 લાખ હારી જતા લૂંટ અંગેનો પ્લાન બનાવ્યો હતો અને ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં ત્રાટકી લુટના ગુનાને અંજામ આપ્યો હતો જોકે હાલ આરોપીએ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે

Advertisment