સાબરકાંઠા: હિંમતનગર શહેરમાં ગટરના પ્રદુષિત પાણીના કારણે સ્થાનિકો હેરાન પરેશાન

હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોનું ગટરનું પાણી ગટર લાઈન થકી સુએજ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવતું હોય છે

New Update
સાબરકાંઠા: હિંમતનગર શહેરમાં ગટરના પ્રદુષિત પાણીના કારણે સ્થાનિકો હેરાન પરેશાન

સાબરકાંઠા: હિંમતનગર શહેરમાં ગટરના પ્રદુષિત પાણીના કારણે સ્થાનિકો હેરાન પરેશાનસાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ગટરના પાણીનો નિકાલ ગટર લાઈન થકી સુએજ પ્લાન્ટ પર શુદ્ધિકરણ કરી નદીમાં છોડવામાં આવતું હોય છે પરંતુ કેટલાક વિસ્તારોનું પાણી ખુલ્લી ગટર દ્વારા સીધું જ નદીમાં ઠાલવવામાં આવે છે પરંતુ ખુલ્લી ગટર હરીનગર વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાંના સ્થાનિકો હાલ તો દુર્ગંધ અને ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોનું ગટરનું પાણી ગટર લાઈન થકી સુએજ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવતું હોય છે અને ત્યારબાદ ગટરના પાણીનું સુએજ પ્લાન્ટ પર શુદ્ધિકરણ કરી નદીમાં છોડવામાં આવતું હોય છે પરંતુ હિંમતનગરના છાપરિયા, શારદાકુંજ અને મહાવીરનગર વિસ્તારના કેટલાક ભાગોનું પાણી ખુલ્લી ગટર દ્વારા મોતીપુરા થઈ હરીનગર અને હરીનગરથી સીધુ નદીમાં છોડવામાં આવતું હોય છે પરંતુ ખુલ્લી ગટર હરીનગર વિસ્તારમાંથી પસાર થાય છે જ્યાં ઘણા પરિવારો વસવાટ કરે છે અને ખુલ્લી ગટરને અડીને જ હરીનગર પ્રાથમિક શાળા આવેલી છે જયાં વિસ્તારના ૩૦૦ કરતા વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે ગટરના દુર્ગંધ અને ગંદા પાણીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. હિંમતનગર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે અલગ અલગ વિસ્તારની ગટર લાઈન કરવામાં આવી છે સાથે જ પાલિકા સુવિધાઓથી સજ્જ શહેર હોવાના બણગાં ફૂંકી રહી છે ત્યારે પાલિકા વિસ્તારમાં અનેક પ્રકારની અસુવિધાઓ પણ સામે આવી છે.

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

 

Latest Stories