Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં એસટી. બસનું ટાયર ફરી વળતાં શિક્ષિકાનું મોત, બસના ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ...

સાબરકાંઠા જીલ્લામાં ખેડબ્રહ્મા એસટી. બસ ડેપોમાં એસટી. બસનું ટાયર ફરી વળતાં શિક્ષિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં એસટી. બસનું ટાયર ફરી વળતાં શિક્ષિકાનું મોત, બસના ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ...
X

સાબરકાંઠા જીલ્લામાં ખેડબ્રહ્મા એસટી. બસ ડેપોમાં એસટી. બસનું ટાયર ફરી વળતાં શિક્ષિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસે બસના ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, વડાલીના રહેડા ગામમાં રહેતા 45 વર્ષીય વર્ષાબેન ભીખાભાઈ પટેલ કે, જે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના થલવાડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જેઓ મંગળવારે સવારે ઘરેથી નીકળી ખેડબ્રહ્મા પહોંચ્યા હતા, જ્યાં દાંતાના થલવાડ જવા માટે એસટી. બસ ડેપો ખાતે ઉભા હતા. આ દરમિયાન ડીસા-પાલનપુર એસટી. બસના ચાલકની બેદરકારીના કારણે એસટી. બસની ટક્કરે શિક્ષિકા પડી ગયા હતા. તેમની પર ટાયર ફરી વળતા માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જેને લઈને આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. બનાવ અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહને પીએમ અર્થે ખેડબ્રહ્મા સિવિલ જનરલ હોસ્પીટલમાં ખસેડ્યો હતો. તો બીજી તરફ, ખેડબ્રહ્મા પોલીસે ફરિયાદ આધારે એસટી. બસના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story