-
જિલ્લા સહિત તાલુકામાં ભારે પવન સાથે વાવાઝોડું આવ્યું
-
29થી વધુ વિજપોલ સહિત અનેક વુક્ષો પણ ધરાશાયી થયા
-
ભારે પવન ફૂંકાતા તાલુકામાં 9થી વધુ મકાનના પતરા ઉડ્યા
-
વીજપોલ અને વૃક્ષ ધરાશાયી થતાં વીજવાયરો પણ તૂટ્યા
-
વીજ પુરવઠો ખોરવાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો
સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં ભારે પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડાના કારણે 29થી વધુ વિજપોલ સહિત અનેક વુક્ષો ધરાશાયી થતાં વાહનોમાં પણ મોટાપાયે નુકશાન પહોચ્યું હતું.
વાવાઝોડાની આગાહીની અસર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં જોવા મળી હતી. વાવાઝોડાના કારણે 29થી વધુ વિજપોલ સહિત અનેક વુક્ષો ધરાશાયી થતાં વાહનોમાં પણ મોટાપાયે નુકશાન પહોચ્યું હતું. જેમાં પ્રાંતિજના આંટીયાવાસમાં વિજપોલ અને વૃક્ષ પડતા 5 જેટલા વાહનોમાં નુકશાન થયું હતું. તો નાની ભાગોળ વિસ્તારમાં પણ એક વિજપોલ ધરાશાયી થયો હતો. પ્રાંતિજ સહિત તાલુકામાં 29થી વધુ વિજપોલ ધરાશાયી થયા હતા. આ તરફ, ઠેર ઠેર મોટા હોર્ડીંગ્સ અને બેનરો પણ પવનના કારણે તૂટી પડ્યા હતા. જોકે, વાવાઝોડા બાદ વરસાદ વરસતા વીજ પ્રવાહ ખોરવાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.