સાબરકાંઠા : વાવાઝોડું ફૂંકાતા 29થી વધુ વિજપોલ સહિત અનેક વુક્ષો ધરાશાયી, વાહનોમાં પણ મોટાપાયે નુકશાન...

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં ભારે પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડાના કારણે 29થી વધુ વિજપોલ સહિત અનેક વુક્ષો ધરાશાયી થતાં વાહનોમાં પણ મોટાપાયે નુકશાન પહોચ્યું હતું.

New Update
  • જિલ્લા સહિત તાલુકામાં ભારે પવન સાથે વાવાઝોડું આવ્યું

  • 29થી વધુ વિજપોલ સહિત અનેક વુક્ષો પણ ધરાશાયી થયા

  • ભારે પવન ફૂંકાતા તાલુકામાં 9થી વધુ મકાનના પતરા ઉડ્યા

  • વીજપોલ અને વૃક્ષ ધરાશાયી થતાં વીજવાયરો પણ તૂટ્યા

  • વીજ પુરવઠો ખોરવાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં ભારે પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડાના કારણે 29થી વધુ વિજપોલ સહિત અનેક વુક્ષો ધરાશાયી થતાં વાહનોમાં પણ મોટાપાયે નુકશાન પહોચ્યું હતું.

વાવાઝોડાની આગાહીની અસર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં જોવા મળી હતી. વાવાઝોડાના કારણે 29થી વધુ વિજપોલ સહિત અનેક વુક્ષો ધરાશાયી થતાં વાહનોમાં પણ મોટાપાયે નુકશાન પહોચ્યું હતું. જેમાં પ્રાંતિજના આંટીયાવાસમાં વિજપોલ અને વૃક્ષ પડતા 5 જેટલા વાહનોમાં નુકશાન થયું હતું. તો નાની ભાગોળ વિસ્તારમાં પણ એક વિજપોલ ધરાશાયી થયો હતો. પ્રાંતિજ સહિત તાલુકામાં 29થી વધુ વિજપોલ ધરાશાયી થયા હતા. આ તરફઠેર ઠેર મોટા હોર્ડીંગ્સ અને બેનરો પણ પવનના કારણે તૂટી પડ્યા હતા. જોકેવાવાઝોડા બાદ વરસાદ વરસતા વીજ પ્રવાહ ખોરવાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.