સાબરકાંઠા: મકાનની દીવાલ ધરાશાયી થતા નિરાધાર વૃદ્ધાની MPએ લીધી મુલાકાત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી થતા વયોવૃધ્ધ નિસહાય અંધ મહિલાનો બચાવ થયો હતો

New Update

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી થતા વયોવૃધ્ધ નિસહાય અંધ મહિલાનો બચાવ થયો હતો ત્યારે સાંસદ દ્રારા સ્થળ મુલાકાત લઈ તંત્રને તાત્કાલિક સર્વે કરી ઝડપી સહાય ચુકવવા આદેશ કર્યા હતા


સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે ભારે પવન તેજ વરસાદને લઈ ને ચાર જેટલા મકાનોની દિવાલો ધરાશાયી થઈ હતી જેમા પ્રાંતિજ બજાર વિસ્તાર મા આવેલ ગુજ્જરની પોળ મા રહેતા વયોવૃધ્ધ નિ:સહાય અંધ મહિલા કલાબેન પ્રવિણચંદ્ર પંડ્યાના મકાનની પાછળના ભાગની દિવાલ ધરાશાય થઇ હતી જેમા વયોવૃધ્ધ મહિલાનો આબાદ બચાવ થયો હતો.આ બાબતે સાંસદ શોભના બારૈયાએ સ્થળ મુલાકાત લીધી હતી અને પ્રાંતિજ નગરપાલિકાના કર્મચારી જતીન જોષીને બોલાવી  તાત્કાલિક સર્વે કરી  સહાય ચુકવવા માટે આદેશ આપ્યા હતા
Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.