સાબરકાંઠા : હિંમતનગર ખાતે નવીન ભોજન કેન્દ્રોનું ઉદઘાટન કરાયું, શ્રમિકોને મળશે શુદ્ધ અને સાત્વિક ભોજન....

જિલ્લાના શ્રમિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે માટે અન્ન પૂર્ણા યોજના અંતર્ગત 4 નવીન ભોજન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

New Update
સાબરકાંઠા : હિંમતનગર ખાતે નવીન ભોજન કેન્દ્રોનું ઉદઘાટન કરાયું, શ્રમિકોને મળશે શુદ્ધ અને સાત્વિક ભોજન....

સાબરકાંઠાના હિંમતનગર ખાતે જિલ્લાના શ્રમિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે માટે અન્ન પૂર્ણા યોજના અંતર્ગત 4 નવીન ભોજન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સાબરકાંઠા જિલ્લામાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરીક પુરવઠા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે અન્ન પૂર્ણા યોજના અંતર્ગત નવીન ભોજન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાનાં શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત કુલ ચાર ભોજન વિતરણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં શ્રમિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન આપવામાં આવશે. આ યોજના બાંધકામ શ્રમિકો માટે લાભદાયી નીવડશે. આ યોજના થકી જિલ્લાનાં કોઈ પણ શ્રમિકને ભૂખ્યા સૂવું નહિ પડે. શ્રમિક અન્ન પૂર્ણા યોજના અંતર્ગત ઈ- નિર્માણ કાર્ડ ધરાવતા બાંધકામ શ્રમિકો અને તેના પરિવારનાં સભ્યોને રાહત દરે પ્રતિ ભોજન દીઠ રૂ.૫/- માં ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લામાં રાધેય સ્વીટમાર્ટ પાસે, છાપરીયા કડીયાનાકા, હિંમનગર ખાતે સાંસદ દિપસિંહ રાઠોડના હસ્તે, મહાવીરનગર ચાર રસ્તા, કડીયાનાકા, હિંમતનગર ખાતે ધારાસભ્ય વી.ડી ઝાલાના હસ્તે, ભાખરીયા બસ સ્ટેન્ડ, પ્રાંતિજ ખાતે પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે, ઇડર ટાવર ચોક, કડીયાનાકા, ઇડર ખાતે ઇડર ધારાસભ્ય રમણલાલ વોરાના હસ્તે શ્રમિક અન્ન પૂર્ણા યોજના અંતર્ગત નવા કેન્દ્રોનું ઉદઘાટન કરાયું હતું. આ કાર્યક્રમમાં સાંસદશ્રી દિપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ ભારતીબેન એમ.પટેલ, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલભાઇ ઉપાધ્યાય, અગ્રણી વિજયભાઈ પંડ્યા, જિલ્લા કલેક્ટર નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, તેમજ મોટી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: પોલીસ દ્વારા BAIL કંપનીમાં રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ !

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના

New Update

ભરૂચ પોલીસની કાર્યવાહી

ડ્રગસના જથ્થાનો નાશ કરાયો

દહેજની બેઇલ કંપનીમાં નાશ કરાયો

રૂ.1.25 કરોડની કિંમતનું ઝડપાયું હતું ડ્રગસ

વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.
રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના ગુન્હામાાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા  તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડૉ. કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષકના  માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના 7 પોલીસ પોલીસ મથકના 17 ગુનામાં ઝડપાયેલા રૂ.1.25 કરોડની કિંમતના 608 કિલો ડ્રગ્સનો દહેજમાં આવેલ બેઇલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો.સૌથી વધુ 576 કિલો ડ્રગ્સ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું.