સાબરકાંઠા:ગુજરાતમાં ખેત મજૂરી કરતા પાકિસ્તાની પરિવારે ભય મુક્ત થઈને ભારતની કરી પ્રશંસા

વર્ક વિઝા ઉપર ખેતી કામ કરી જીવન નિર્વાહ કરી રહેલા આ તમામ પરિવારો પાકિસ્તાનની મોંઘવારીની જગ્યાએ ગુજરાતની સ્થિતિના વખાણી રહ્યા છે,પાકિસ્તાનથી આવેલા 7 થી 8 પરિવારો ખેતી કામ કરી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે.

New Update

ઇડરમાં રોજીરોટી મેળવતા પાકિસ્તાની પરિવાર

Advertisment

વર્ક વિઝા પર ખેત મજૂરી કરતા પાકિસ્તાની 

પાકિસ્તાનમાં મોંઘવારી અને ભયથી લોકો ત્રસ્ત 

ગુજરાતમાં ભયમુક્ત સુરક્ષિત પરિસ્થિતિ અનુભવતા પાકિસ્તાની

પાકિસ્તાની પરિવારો કરી રહ્યા છે ભારતની પ્રશંસા  

સાબરકાંઠાના ઇડરમાં આવીને વસેલા પાકિસ્તાની પરિવારો ભયમુક્તશાંતિથી રોજીરોટી મેળવીને પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા છે.વર્ક વિઝા ઉપર ખેતી કામ કરી જીવન નિર્વાહ કરતા પરિવારો પાકિસ્તાનની મોંઘવારીની જગ્યાએ ગુજરાતની સ્થિતિના વખાણી રહ્યા છે.

સાબરકાંઠાના ઈડરના ગ્રામીણ વિસ્તારમાં રહેતા પાકિસ્તાનની પરિવારો હાલમાં ગુજરાત સહિત ભારતના વખાણ કરી રહ્યા છે.વર્ક વિઝા ઉપર ખેતી કામ કરી જીવન નિર્વાહ કરી રહેલા આ તમામ પરિવારો પાકિસ્તાનની મોંઘવારીની જગ્યાએ ગુજરાતની સ્થિતિના વખાણી રહ્યા છે.સાબરકાંઠામાં ઈડરના ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા છ માસથી પાકિસ્તાનથી આવેલા 7 થી 8 પરિવારો ખેતી કામ કરી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે.

જોકે એક તરફ પાકિસ્તાનમાં મોંઘવારીના મારથી લોકો પીડાય રહ્યા છેસાથોસાથ પ્રતિ દિવસ ભયના વાતાવરણ વચ્ચે જીવન ગુજારવા છતાં આર્થિક રીતે સંકળામણ અનુભવતા કેટલાક પરિવાર હવે ભારત તરફ આવી રહ્યા છે.આજે પણ પાકિસ્તાનની મોંઘવારીની જગ્યાએ ગુજરાત સહિત ભારતની સ્થિતિ કંઈક અલગ છે.

પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂપિયા 260 થી 270 હોવાનું કહેવાય છે,જ્યારે ભારતમાં રૂપિયા 100 થી પણ ઓછા ભાવે 1 લિટર પેટ્રોલ મળી રહે છે. જ્યારે પાકિસ્તાનમાં એક ચાનો ભાવ પણ રૂપિયા 50 બોલાય છે તો બીજી તરફ ખાંડ-તેલ-લોટ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓનો ભાવ પણ ચારથી પાંચ ગણો છે.

આ ભયાવહ સ્થિતિને કારણે મોટાભાગના લોકો દિન પ્રતિદિન પાયમાલ બની રહ્યા છે. અહીંયા છ માસ અગાઉ વર્ક વિઝા ઉપર સાબરકાંઠામાં ઇડરના ગ્રામીણ વિસ્તારમાં આવેલા પાકિસ્તાની પરિવારો ગુજરાત સહિત ભારતની સ્થિતિની પ્રસંશા કરી રહ્યાં છે અને ભય વિના ચિંતામુક્ત જીવન વિતાવી પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા છે.

Advertisment
Read the Next Article

પોલીસ પુત્રની કરપીણ હત્યા..! : ભાવનગરમાં સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસ પુત્રને 2 શખ્સોએ રહેંસી નાંખ્યો...

હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા

New Update
  • શહેરમાં ધોળે દિવસે બની હત્યાની ચકચારી ઘટના

  • 2 શખ્સે કરી મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યા

  • સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો પોલીસ પુત્ર

  • બનાવના પગલે પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

  • દીકરાના મૃતદેહ નજીક માતાનું હૈયાફાટ રુદન 

Advertisment

ભાવનગર શહેરમાં ધોળે દિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી મુજબભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન 2 શખ્સો કેવલને છરીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાજ્યાં તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની ફેલાય હતી. બનાવને લઇને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે CCTVના આધારે ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisment