સાબરકાંઠા: હિંમતનગરમાં RTO વિભાગની સ્પેશ્યલ ડ્રાઇવ, ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 300 લોકો દંડાયા

રાજ્ય સરકાર દ્વારા સરકારી કચેરીમાં પ્રવેશ માટે હેલ્મેટ ફરજીયાત કર્યા બાદ હિંમતનગરમાં આરટીઓ દ્રારા ડ્રાઈવ શરુ કરવામાં આવી છે

New Update

સાબરકાંઠામાં આર.ટી.ઓ વિભાગની ડ્રાઇવ

Advertisment

હિંમતનગરમાં ડ્રાઇવનું આયોજન કરાયુ 

હેલ્મેટ પહેર્યા વગરના બાઈક ચાલકો દંડાયા

300 જેટલા વાહનચાલકો પાસે દંડ વસુલ કરાયો

કડકાઇથી મેમો આપવામાં આવ્યા

રાજ્ય સરકાર દ્વારા સરકારી કચેરીમાં પ્રવેશ માટે હેલ્મેટ ફરજીયાત કર્યા બાદ હિંમતનગરમાં આરટીઓ દ્રારા ડ્રાઈવ શરુ કરવામાં આવી છે
Advertisment
રાજ્ય સરકારના આદેશને પગલે સરકારી કચેરીઓમાં કર્મચારીઓ માટે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્રારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. હિંમતનગર આરટીઓ દ્વારા અંદાજે ત્રણસોથી વધુ લોકો દંડાયા હતા. હિંમતનગરમાં બહુમાળી ભવનમાં આરટીઓ અધિકારીઓની ટીમ એકાએક ઉતરી હતી જેમાં બહુમાળીમાં પ્રવેશ કરતા કર્મચારીઓ અને અધિકારીઓને મેમો આપવાના શરૂ કરાયું હતુ. તેમાં ખાસ કરીને હેલ્મેટ વગર, કાળા કાચ, સીટ બેલ્ટ, નંબર પ્લેટ વગરના વાહનો, તૂટેલી નંબર પ્લેટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિયમોનું પાલન ન કરનાર તમામ સામે કડકાઈ રાખીને મેમા આપવામાં આવ્યા હતા.
Advertisment
Read the Next Article

પોલીસ પુત્રની કરપીણ હત્યા..! : ભાવનગરમાં સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસ પુત્રને 2 શખ્સોએ રહેંસી નાંખ્યો...

હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા

New Update
  • શહેરમાં ધોળે દિવસે બની હત્યાની ચકચારી ઘટના

  • 2 શખ્સે કરી મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યા

  • સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો પોલીસ પુત્ર

  • બનાવના પગલે પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

  • દીકરાના મૃતદેહ નજીક માતાનું હૈયાફાટ રુદન 

Advertisment

ભાવનગર શહેરમાં ધોળે દિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી મુજબભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન 2 શખ્સો કેવલને છરીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાજ્યાં તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની ફેલાય હતી. બનાવને લઇને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે CCTVના આધારે ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisment