સાબરકાંઠા: હિંમતનગરમાં RTO વિભાગની સ્પેશ્યલ ડ્રાઇવ, ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 300 લોકો દંડાયા

રાજ્ય સરકાર દ્વારા સરકારી કચેરીમાં પ્રવેશ માટે હેલ્મેટ ફરજીયાત કર્યા બાદ હિંમતનગરમાં આરટીઓ દ્રારા ડ્રાઈવ શરુ કરવામાં આવી છે

New Update

સાબરકાંઠામાં આર.ટી.ઓ વિભાગની ડ્રાઇવ

હિંમતનગરમાં ડ્રાઇવનું આયોજન કરાયુ 

હેલ્મેટ પહેર્યા વગરના બાઈક ચાલકો દંડાયા

300 જેટલા વાહનચાલકો પાસે દંડ વસુલ કરાયો

કડકાઇથી મેમો આપવામાં આવ્યા

રાજ્ય સરકાર દ્વારા સરકારી કચેરીમાં પ્રવેશ માટે હેલ્મેટ ફરજીયાત કર્યા બાદ હિંમતનગરમાં આરટીઓ દ્રારા ડ્રાઈવ શરુ કરવામાં આવી છે
રાજ્ય સરકારના આદેશને પગલે સરકારી કચેરીઓમાં કર્મચારીઓ માટે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્રારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. હિંમતનગર આરટીઓ દ્વારા અંદાજે ત્રણસોથી વધુ લોકો દંડાયા હતા. હિંમતનગરમાં બહુમાળી ભવનમાં આરટીઓ અધિકારીઓની ટીમ એકાએક ઉતરી હતી જેમાં બહુમાળીમાં પ્રવેશ કરતા કર્મચારીઓ અને અધિકારીઓને મેમો આપવાના શરૂ કરાયું હતુ. તેમાં ખાસ કરીને હેલ્મેટ વગર, કાળા કાચ, સીટ બેલ્ટ, નંબર પ્લેટ વગરના વાહનો, તૂટેલી નંબર પ્લેટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિયમોનું પાલન ન કરનાર તમામ સામે કડકાઈ રાખીને મેમા આપવામાં આવ્યા હતા.
Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCA દ્વારા એર ઈન્ડિયાના તમામ Boeing Dreamlinerની થશે તપાસ

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભારતમાં આ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે.b આ દુર્ઘટનામાં 260 લોકોના મોતની આશંકા છે, 

New Update
a

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભારતમાં આ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે.

આ દુર્ઘટનામાં 260 લોકોના મોતની આશંકા છેઆ ઘટનાને કારણે ગુજરાત ઉપરાંત દેશભરમાં શોકનો માહોલ છે. આ પ્લેઈન બોઇંગનું 787-8 ડ્રીમ લાઈનર હતુંઆ પ્લેન ક્રેશ થવા પાછળના કારણોની તપાસ થઇ રહી છે. એક વ્હિસલ બ્લોઅરે દાવો કર્યો હતો કે બોઇંગ 787-8ની ડીઝાઈનમાં મોટી ખામીઓ હતી. એવામાં અહેવાલો છે કે ભારત સરકાર દેશના તમામ બોઇંગ ડ્રીમલાઇનર 787-8 ગ્રાઉન્ડ કરવાનો આદેશ આપી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સેફ્ટી ચેક કરવામાં માટે તમામ બોઇંગ 787-8ને ગ્રાઉન્ડેડ કરવામાં આવશે. આ સંદર્ભમાં ભારત અને યુએસ એજન્સીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ,દુર્ઘટનાની તપાસના આધારે નિર્ણય લેવામાં આવશે.