સાબરકાંઠા : ચાલુ ST બસે ચાલકને આવ્યો હાર્ટ એટેક, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા..!

જિલ્લાના પોલાજપુર પાટીયા નજીક પાટણ-લુણાવાડા રૂટની ST બસના ચાલકને હાર્ટ એટેક આવતા બસ રોડ સાઈડ તળાવમાં ઊતરી ગઈ હતી.

New Update
સાબરકાંઠા : ચાલુ ST બસે ચાલકને આવ્યો હાર્ટ એટેક, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા..!

સાબરકાંઠા જિલ્લાના પોલાજપુર પાટીયા નજીક પાટણ-લુણાવાડા રૂટની ST બસના ચાલકને હાર્ટ એટેક આવતા બસ રોડ સાઈડ તળાવમાં ઊતરી ગઈ હતી. આ દરમ્યાન બસમાં સવાર અસંખ્ય મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા.

Advertisment W3.CSS

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી વિજાપુર રોડ પર આવેલા પોલાજપુર પાટીયા પાસે પાટણથી લુણાવાડા જઈ રહેલી એસટી બસના ચાલકને ચાલુ બસે ચક્કર આવતા બસને રોડ સાઈડે કરવા જતા ચાલક બેભાન થઇ ગયો હતો. જેને પગલે એસટી બસ રોડ સાઈડે ભરાયેલા પાણીમાં ઉતરી પડી હતી. આ દરમ્યાન બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી. 42 વર્ષીય બસ ચાલક અલ્પેશ ગોસ્વામીને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બસ ચાલકને હાર્ટ એટેક આવ્યો હોવાથી તેઓને યોગ્ય સારવાર આપવામાં આવી હતી. તો બીજી તરફ, હિંમતનગર એસટી ડેપોના મેનેજરને બનાવની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.