સાબરકાંઠા : હિંમતનગર ડેપોથી શરૂ થયેલું ઈ-પાસ અભિયાન ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો સુધી ફેલાયું,

સમગ્ર ગુજરાતમાં 65 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઈ-પાસનો ઉપયોગ કરી રહ્યા છે, અને તેનો ઉપયોગ સમય અને શક્તિની બચત કરે છે. તેમજ વિદ્યાર્થીઓને ST બસ સ્ટેન્ડ પર લાંબી કતારોમાંથી બચાવે છે

New Update
  • હિંમતનગર ડેપોથી શરૂ થયેલું અભિયાન ગુજરાતમાં ફેલાયું

  • ઇ-પાસના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

  • હિંમતનગર ડેપો દ્વારા 17,560 ઇ-પાસ ઈશ્યુ કરવામાં આવ્યા

  • વિવિધ શાળાના વિદ્યાર્થીઓને હવે લાંબી કતારોમાંથી મુક્તિ

  • સમગ્ર ગુજરાતમાં 65 હજારથી વધુ લોકોએ મેળવ્યા છે પાસ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ટ્રાન્સપોર્ટ ડેપો ખાતે ઈ-પાસની શરૂઆતથી હજારો વિદ્યાર્થીઓને વ્યાપક લાભ મળ્યો છે. અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં 65 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઈ-પાસનો ઉપયોગ કરી રહ્યા છે.

હાલસમગ્ર ગુજરાતમાં 65 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઈ-પાસનો ઉપયોગ કરી રહ્યા છેઅને તેનો ઉપયોગ સમય અને શક્તિની બચત કરે છે. તેમજ વિદ્યાર્થીઓને ST બસ સ્ટેન્ડ પર લાંબી કતારોમાંથી બચાવે છે. તો બીજી તરફશાળા કે કોલેજના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ અધૂરો છોડીને પાસ મેળવવાની ઝંઝટમાંથી મુક્ત થયા છે. સમગ્ર ગુજરાતમાં 126 સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ ડેપોમાંથી 228 સ્થળોએ ફેલાયેલ એસટી. બસોના વ્યાપક નેટવર્કનો ઉપયોગ દરરોજ લાખો લોકો તેમના રોજિંદા મુસાફરી માટે કરે છે.

જોકેતેનો સૌથી વધુ ઉપયોગ ગ્રામીણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છેજે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ ડેપો પર પાસ બનાવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવાની જરૂર નથીજ્યાં હવે ઈ-પાસની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત દરેક વિદ્યાર્થીઓને ઈ-પાસ મળે છે. તેમની શૈક્ષણિક સંસ્થામાંથી સત્ર મુજબ પાસસામાન્ય રીતે એસટી. બસ પાસ મેળવવા માટે વિદ્યાર્થીઓને શાળા કેકોલેજમાંથી પાસ કઢાવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છેઅને ક્યારેક 2-3 દિવસ પણ નીકળી જાય છે.

Read the Next Article

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ

New Update
Bharuch Grampanchayat Election
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય,  ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી. 
      
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨  ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે..