સાબરકાંઠા:વરસતા વરસાદ વચ્ચે પોળો ફોરેસ્ટની અપ્રતિમ સુંદરતા,દ્રશ્યો નિહાળી મુલાકાત લેવાનું અચુક થશે મન

સમગ્ર ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત બનેલા વિજયનગર ફોરેસ્ટમાં સતત વરસાદના પગલે કુદરતે જાણે કે સોળે શણગાર સજ્યા હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે.

New Update
સાબરકાંઠા:વરસતા વરસાદ વચ્ચે પોળો ફોરેસ્ટની અપ્રતિમ સુંદરતા,દ્રશ્યો નિહાળી મુલાકાત લેવાનું અચુક થશે મન

સમગ્ર ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત બનેલા વિજયનગર ફોરેસ્ટમાં સતત વરસાદના પગલે કુદરતે જાણે કે સોળે શણગાર સજ્યા હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે.છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદના પગલે પોળો ફોરેસ્ટ પ્રવાસીઓનું પ્રથમ મનગમતું સ્થળ બની રહ્યું છે.

સાબરકાંઠાના વિજયનગરમાં આવેલું પોળો ફોરેસ્ટ ઉત્તર ગુજરાતનું એકમાત્ર પ્રી વેડિંગ ફોટો સ્ટેશન છે તો બીજી તરફ પૌરાણિક મંદિરો સહિત કુદરતનું સાનિધ્ય માનવા માટે મીની કાશ્મીરની ઉપમા પામી ચૂક્યું છે સાથોસાથ સતત વરસાદ થવાના પગલે ગત વર્ષે ઓછા પાણીથી સુકાઈ ગયેલા ઝરણા સહિત પાણીના ધોધ પણ વહેતા થયા છે.સામાન્ય રીતે કુદરતનો આવો નજારો જોવા માટે છેક કાશ્મીર સુધી લાંબા થવું પડતું હોય છે ત્યારે ઉત્તર ગુજરાતમાં કુદરતી રીતે જ અસ્તિત્વ પામેલા ઝરણા તેમજ ધોધ કાશ્મીરની અનુભૂતિ કરાવે છે જોકે વહીવટી તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા વિવિધ પ્રયાસોને પગલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં કુદરતનું સાનિધ્ય માણવા માટે પોળો ફોરેસ્ટનું નામ પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની રહ્યું છે. તેમજ હાલના તબક્કે પોરો ફોરેસ્ટ ફરી એકવાર સોળ શણગાર સજી પ્રવાસીઓને આકર્ષવા તૈયાર થયું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.