સાબરકાંઠા : પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં વેપારીઓએ સ્વયંભૂ બજાર બંધ રાખ્યા,મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓની જે ક્રૂર હત્યા કરી છે, અને આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.

New Update
  • જમ્મુ કાશ્મીર આતંકી હુમલાનો વિરોધ

  • સુરેન્દ્રનગરમાં વેપારીઓએસ્વયંભૂ 

    બજાર બંધ રાખ્યા 

  • હીચકારી ઘટનાની આકરી નિંદા કરતા વેપારીઓ

  • આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની કરી માંગ

  • 28 મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતા વેપારીઓ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓની જે ક્રૂર હત્યા કરી છેઅને આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર તેમજ તલોદ અને પ્રાંતિજમાં વ્યાપારીઓ દ્વારા બજાર સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યા હતા.

જમ્મુ કાશ્મીરમાં પહલગામ અને તેની નજીકના અન્ય એક સ્થળ પર આતંકવાદીઓ દ્વારા 28 પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી.જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના હિંમતનગર શહેરના વેપારીઓ દ્વારા શહેરને સ્વયંભૂ સજ્જડ બંધ પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને લઇ આજે વહેલી સવારથી જ બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા. હિંમતનગર શહેરના અલગ અલગ વેપારી એસોસિએશન દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી સજ્જડ બંધ પાડ્યો છે.તમામ ધંધા રોજગાર આજે વહેલી સવારથી જ બંધ જોવા મળી રહ્યા હતા.વેપારીઓ દ્વારા સરકારને આંતકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.અને વેપારીઓ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.