Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : જ્યારે... અમીનપુર ગામે ખેતરમાં દોડ્યું આગ લાગેલું ટ્રેક્ટર, જુઓ પછી શું થયું..!

અમીનપુર ગામે ખેતરમાંથી પશુ ઘાસચારો ભરીને ટ્રેક્ટર નીકળી રહ્યું હતું, તે દરમ્યાન ટ્રેક્ટરના ટ્રેલરમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં નાસભાગ મચી હતી.

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અમીનપુર ગામે ખેતરમાંથી પશુ ઘાસચારો ભરીને ટ્રેક્ટર નીકળી રહ્યું હતું, તે દરમ્યાન ટ્રેક્ટરના ટ્રેલરમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં નાસભાગ મચી હતી. પ્રાંતિજના અમીનપુર ગામે ધાસચારો ભરીને ખેતરમાંથી નિકળી રહેલ ટ્રેક્ટરના ટ્રેલરમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. આ સાથે જ ટ્રેલરમાં ભરેલ તમામ ઘાસચારો બળીને આગમાં સ્વાહા થઈ ગયો હતો. ટ્રેક્ટરના ટ્રેલરમાં લાગેલ લાકડાના પાટીયા તથા ટ્રેલરના બન્ને ટાયર આગમાં બળીને સ્વાહા થઈ ગયા હતા. જોકે, ટ્રેક્ટર ચાલકે સમય સુચકતા વાપરીને હાઈડ્રોલિક ટ્રેલરને ખેતરમાં જ ખાલી કરી દીધું હતું. સમગ્ર ઘટનામાં પશુ ઘાસચારા સહિત ટ્રેલરના ટાયર અને લાકડાના પાટીયા બળી જતા ખેડૂતને અંદાજે રૂપિયા 50 હજાર જેટલું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મેડિયમાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

Next Story