સાબરકાંઠા : અર્ધ સળગેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ દોડતી થઇ...
સાબરકાંઠા જીલ્લાના ઈડરના નરસિંહપુરા-પૃથ્વીપુરા ત્રણ રસ્તા નજીક અર્ધ સળગેલી હાલતમાં એક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
BY Connect Gujarat26 Nov 2022 12:03 PM GMT
X
Connect Gujarat26 Nov 2022 12:03 PM GMT
સાબરકાંઠા જીલ્લાના ઈડરના નરસિંહપુરા-પૃથ્વીપુરા ત્રણ રસ્તા નજીક અર્ધ સળગેલી હાલતમાં એક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે પોલીસ કાફલા સહીત ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
મળતી માહિતી અનુસાર, ઈડરના નરસિંહપુરા અને પૃથ્વીપુરા ત્રણ રસ્તા નજીક ખેતરની વાડમાંથી યુવતીની હત્યા કરી મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું છે. અર્ધ સળગેલી હાલતમાં અંદાજે 20 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવતા ઈડર ડી.વાઈ.એસ.પી, એલ.સી.બી, એ.સો.જી. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફોરેન્સિક ટીમને સાથે રાખી ધટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ, પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ઘરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Next Story