સાબરકાંઠા : વધતાં તાપમાન સાથે રોગચાળામાં પણ વધારો, હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં લાગી દર્દીઓની કતાર..!

હિંમતનગર સ્થિત મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે દિવસેને દિવસે દર્દિઓનો વધારો થઈ રહ્યો છે. આમ તો ગત માસમાં જે દર્દીઓ નોધાઈ રહ્યા હતા, તે દર્દિઓ છેલ્લા 15 દિવસમાં નોઘાયા

New Update
  • વધતાં જતાં તાપમાન સાથે રોગચાળામાં પણ નોંધાયો વધારો

  • હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લાગી દર્દીઓની લાગી કતાર

  • સિવિલ હોસ્પિટલ ખાતે 15 દિવસમાં જ 17 હજારથી કેસ નોંધાયા

  • ઝાડા-ઉલટીતાવ સહિત ગરમીના કારણે રોગનો ઉપદ્રવ વધ્યો

  • આકરા તાપમાં લોકોએ પોતાના સ્વસ્થ્યની કાળજી લેવાની જરૂર

Advertisment

 સાબરકાંઠા જીલ્લામાં ઉનાળામાં રોગચાળો વકર્યો છેત્યારે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર સ્થિત જીમર્સ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે દિવસેને દિવસે દર્દિઓનો વધારો થઈ રહ્યો છે. આમ તો ગત માસમાં જે દર્દીઓ નોધાઈ રહ્યા હતાતે દર્દિઓ છેલ્લા 15 દિવસમાં નોઘાયા છે.

હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે 15 દિવસમાં જ 17 હજારથી વધુ દર્દીઓની ઓપીડી નોંધાય છે. તો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે પુરતો સ્ટાફ પણ તૈનાત છે. ખાસ કરીને ઝાડા-ઉલટીતાવ સહિત ગરમીના કારણે થતા રોગનો ઉપદ્રવ વધ્યો છે. જેના સામે હિંમતનગર સિવિલ હોસ્પિટલ સજ્જ બની છેજ્યાં 24 કલાક દર્દીઓને સારવાર મળી રહે તે ઉપરાંત હિટ સ્ટોક વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે. વધુમાં સિવિલ હોસ્પિટલના RMOએ હાલ આકરા તાપમાં પોતાના સ્વસ્થ્યની કાળજી લેવા માટે લોકોને અપીલ કરી હતી.

Advertisment
Latest Stories