સાબરકાંઠા : વધતાં તાપમાન સાથે રોગચાળામાં પણ વધારો, હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં લાગી દર્દીઓની કતાર..!

હિંમતનગર સ્થિત મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે દિવસેને દિવસે દર્દિઓનો વધારો થઈ રહ્યો છે. આમ તો ગત માસમાં જે દર્દીઓ નોધાઈ રહ્યા હતા, તે દર્દિઓ છેલ્લા 15 દિવસમાં નોઘાયા

New Update
  • વધતાં જતાં તાપમાન સાથે રોગચાળામાં પણ નોંધાયો વધારો

  • હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લાગી દર્દીઓની લાગી કતાર

  • સિવિલ હોસ્પિટલ ખાતે 15 દિવસમાં જ 17 હજારથી કેસ નોંધાયા

  • ઝાડા-ઉલટીતાવ સહિત ગરમીના કારણે રોગનો ઉપદ્રવ વધ્યો

  • આકરા તાપમાં લોકોએ પોતાના સ્વસ્થ્યની કાળજી લેવાની જરૂર

સાબરકાંઠા જીલ્લામાં ઉનાળામાં રોગચાળો વકર્યો છેત્યારે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર સ્થિત જીમર્સ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે દિવસેને દિવસે દર્દિઓનો વધારો થઈ રહ્યો છે. આમ તો ગત માસમાં જે દર્દીઓ નોધાઈ રહ્યા હતાતે દર્દિઓ છેલ્લા 15 દિવસમાં નોઘાયા છે.

હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે 15 દિવસમાં જ 17 હજારથી વધુ દર્દીઓની ઓપીડી નોંધાય છે. તો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે પુરતો સ્ટાફ પણ તૈનાત છે. ખાસ કરીને ઝાડા-ઉલટીતાવ સહિત ગરમીના કારણે થતા રોગનો ઉપદ્રવ વધ્યો છે. જેના સામે હિંમતનગર સિવિલ હોસ્પિટલ સજ્જ બની છેજ્યાં 24 કલાક દર્દીઓને સારવાર મળી રહે તે ઉપરાંત હિટ સ્ટોક વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે. વધુમાં સિવિલ હોસ્પિટલનાRMOએ હાલ આકરા તાપમાં પોતાના સ્વસ્થ્યની કાળજી લેવા માટે લોકોને અપીલ કરી હતી.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.