સાપુતારા : સુરતના પર્યટકો ભરેલી બસ ખીણમાં ખાબકી, 2 ના મોત.

સાપુતારાના માલેગામ ખાતે યુ-ટર્ન પર ઓ‌વરટેક કરવા જતાં સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી.જેમાં 2 સગા ભાઈ બહેન મોતને ભેટ્યા હતા તો 28 લોકો ઘાયલ થયા હતા.

New Update

સાપુતારાના માલેગામ ખાતે યુ-ટર્ન પર ઓ‌વરટેક કરવા જતાં સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી.જેમાં 2 સગા ભાઈ બહેન મોતને ભેટ્યા હતા તો 28 લોકો ઘાયલ થયા હતા.

હાલમાં જ સાપુતારામાં ખીણમાં બસ ખાબકી હતી અને આ બસમાં રહેલી 57માંથી 55 જિંદગી એક ઝાડને કારણે બચી ગઈ હતી.વિગતો મુજબ રવિવારની સાંજે  સાપુતારાના માલેગામ ખાતે યુ-ટર્ન પર ઓ‌વરટેક કરવા જતાં સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી. જેમાં વિન્ડો સીટ પર બેસેલા 3 વર્ષીય ભાઈ અને 7 વર્ષીય બહેનનું ફંગોળાઇ બહાર ફેંકાતા મોત થયું હતું. જ્યારે 28 લોકોને ઇજા થતાં તેમને નજીકના શામગહાન સીએચસી સેન્ટર ખસેડાયા હતા.

જેમાં 4 લોકોની હાલત ગંભીર થતાં તેમને આહવા હોસ્પિટલ રિફર કરાયા હતા. જ્યાંથી સાત જેટલા ઇજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક ઈજાગ્રસ્તે જણાવ્યું કે બસ ખીણમાં ખાબકી ત્યારે ઝાડ સાથે અટકી ગઈ હતી એટલે બચી ગયા હતા.સાપુતારાથી બે કિલોમીટરના અંતરે બસના ચાલકે ઓવર ટેકની લ્હાયમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેથી બસ ખીણમાં ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઇ હતી.અન્ય 33 પર્યટકોને બીજી બસમાં સુરત મોકલવામાં આવ્યા હતા.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.