સાપુતારા : સુરતના પર્યટકો ભરેલી બસ ખીણમાં ખાબકી, 2 ના મોત.

સાપુતારાના માલેગામ ખાતે યુ-ટર્ન પર ઓ‌વરટેક કરવા જતાં સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી.જેમાં 2 સગા ભાઈ બહેન મોતને ભેટ્યા હતા તો 28 લોકો ઘાયલ થયા હતા.

New Update

સાપુતારાના માલેગામ ખાતે યુ-ટર્ન પર ઓ‌વરટેક કરવા જતાં સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી.જેમાં 2 સગા ભાઈ બહેન મોતને ભેટ્યા હતા તો 28 લોકો ઘાયલ થયા હતા.

Advertisment

હાલમાં જ સાપુતારામાં ખીણમાં બસ ખાબકી હતી અને આ બસમાં રહેલી 57માંથી 55 જિંદગી એક ઝાડને કારણે બચી ગઈ હતી.વિગતો મુજબ રવિવારની સાંજે  સાપુતારાના માલેગામ ખાતે યુ-ટર્ન પર ઓ‌વરટેક કરવા જતાં સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી. જેમાં વિન્ડો સીટ પર બેસેલા 3 વર્ષીય ભાઈ અને 7 વર્ષીય બહેનનું ફંગોળાઇ બહાર ફેંકાતા મોત થયું હતું. જ્યારે 28 લોકોને ઇજા થતાં તેમને નજીકના શામગહાન સીએચસી સેન્ટર ખસેડાયા હતા.

જેમાં 4 લોકોની હાલત ગંભીર થતાં તેમને આહવા હોસ્પિટલ રિફર કરાયા હતા. જ્યાંથી સાત જેટલા ઇજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક ઈજાગ્રસ્તે જણાવ્યું કે બસ ખીણમાં ખાબકી ત્યારે ઝાડ સાથે અટકી ગઈ હતી એટલે બચી ગયા હતા.સાપુતારાથી બે કિલોમીટરના અંતરે બસના ચાલકે ઓવર ટેકની લ્હાયમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેથી બસ ખીણમાં ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઇ હતી.અન્ય 33 પર્યટકોને બીજી બસમાં સુરત મોકલવામાં આવ્યા હતા.

Advertisment
Read the Next Article

સુરત : સીટી બસના ડ્રાઈવરો-કંડક્ટરો દ્વારા મુસાફરોને કરાતી હેરાનગતી, FIR દાખલ કરાશે : મેયર દક્ષેશ માવાણી

સીટી બસના ડ્રાઈવર અને કંડકટરો દ્વારા મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી

New Update
  • શહેરભરના વિસ્તારોમાં દોડતી સીટી બસ સેવા

  • સીટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી

  • ડ્રાઈવર અને કંડકટરો દ્વારા કરાતી હેરાનગતી

  • મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી

  • 218 બસ ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરાય 

Advertisment

સુરત શહેરમાં સીટી બસના ડ્રાઈવર અને કંડક્ટરો દ્વારા મુસાફરોને પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદોને લઈને FIR દાખલ કરવા સુધી મનપા તંત્રએ તૈયારી બતાવી છે.

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં દોડતી સીટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સીટી બસના ડ્રાઈવર અને કંડકટરો દ્વારા મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 17 મહિનામાં 1032 કંડકટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ટિકિટ નહીં આપવાની ફરિયાદ લોકોએ કરી હતીજ્યારે 218 બસ ડ્રાઈવર સામે પણ ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે.

 વધુમાં ગત વર્ષે સર્જાયેલા બસ અકસ્માત બાદ પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કેપાલિકા કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ ટિકિટના દુષણના લીધે મોટું નુકશાન થઈ રહ્યું છેત્યારે હવે જે તે એજન્સીને બ્લેક લિસ્ટ કરવી તેમજ લાઇસન્સ સસ્પેન્સ કરવા સાથે FIR દાખલ કરવામાં આવશે તેવું મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યુ હતું.

Advertisment
Latest Stories