સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, પૂર્ણ કક્ષાએ ભરાવામાં માત્ર 1.5 મીટર જ દૂર !

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણકક્ષા સુધી ભરાવવા માટે માત્ર દોઢ મીટર જ દૂર રહ્યો છે ત્યારે નર્મદાના નીરના વધામણા કરવા આયોજન થઈ રહ્યું છે

New Update

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણકક્ષા સુધી ભરાવવા માટે માત્ર દોઢ મીટર જ દૂર રહ્યો છે ત્યારે નર્મદાના નીરના વધામણા કરવા આયોજન થઈ રહ્યું છે

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હવે છલકાવવાની તૈયારીમાં છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વાર 137.10 મીટરની સપાટીએ પહોંચ્યો છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 3.95 લાખ ક્યુસેક પાણીની આવક છે. તો ડેમમાંથી કુલ 3.16 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની જળ સપાટી 137.10 મીટર પહોંચતા ડેમ તેની પૂર્ણ સપાટી 138.68 મીટર સુધી પહોંચવામાં માત્ર 1.58 મીટર દૂર છે.

તારીખ 17 મી સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે આવતીકાલ સુધીમાં ડેમને પૂર્ણ રીતે ભરી વડાપ્રધાનને જન્મદિવસની ભેટ આપવામાં આવશે તેવુ આયોજન નર્મદા નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ રીતે ભરાતા સમગ્ર ગુજરાતને ઉનાળામાં પીવાના પાણીની તંગી નહીં પડે. તો આ તરફ નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા ત્રણ 3.16 લાખ ક્યુસેક પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે નર્મદા નદીની જળ સપાટી 20.67 ફૂટે સ્થિર જોવા મળી રહી છે પરંતુ નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણી પર તંત્ર નજર રાખી રહ્યું છે.

Read the Next Article

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય..

રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા

New Update
  • રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય

  • રાજભવન પરિવારના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતી

  • યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિતોએ સમૂહમાં યોગાભ્યાસ કર્યો

  • યોગને જીવનનો નિયમિત ભાગ બનાવો : આચાર્ય દેવવ્રત 

ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કેયોગને જીવનનો નિયમિત ભાગ બનાવો. વધુમાં તેમણે કહ્યું કેયોગથી જીવનમાં આરોગ્ય અને સુખ તો આવે જ છેસાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.