સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, પૂર્ણ કક્ષાએ ભરાવામાં માત્ર 1.5 મીટર જ દૂર !

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણકક્ષા સુધી ભરાવવા માટે માત્ર દોઢ મીટર જ દૂર રહ્યો છે ત્યારે નર્મદાના નીરના વધામણા કરવા આયોજન થઈ રહ્યું છે

New Update

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણકક્ષા સુધી ભરાવવા માટે માત્ર દોઢ મીટર જ દૂર રહ્યો છે ત્યારે નર્મદાના નીરના વધામણા કરવા આયોજન થઈ રહ્યું છે

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હવે છલકાવવાની તૈયારીમાં છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વાર 137.10 મીટરની સપાટીએ પહોંચ્યો છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 3.95 લાખ ક્યુસેક પાણીની આવક છે. તો ડેમમાંથી કુલ 3.16 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની જળ સપાટી 137.10 મીટર પહોંચતા ડેમ તેની પૂર્ણ સપાટી 138.68 મીટર સુધી પહોંચવામાં માત્ર 1.58 મીટર દૂર છે.

તારીખ 17 મી સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે આવતીકાલ સુધીમાં ડેમને પૂર્ણ રીતે ભરી વડાપ્રધાનને જન્મદિવસની ભેટ આપવામાં આવશે તેવુ આયોજન નર્મદા નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ રીતે ભરાતા સમગ્ર ગુજરાતને ઉનાળામાં પીવાના પાણીની તંગી નહીં પડે. તો આ તરફ નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા ત્રણ 3.16 લાખ ક્યુસેક પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે નર્મદા નદીની જળ સપાટી 20.67 ફૂટે સ્થિર જોવા મળી રહી છે પરંતુ નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણી પર તંત્ર નજર રાખી રહ્યું છે.

Read the Next Article

ભરૂચ: હાંસોટના ઇલાવ ગામની RK વકીલ શાળાના 500 વિદ્યાર્થીઓને યુનિફોર્મ- બુટનું વિતરણ કરાયુ, હેમલતાબહેન ચેરીટેબલ ટ્રસ્ટ, પ્રોલાઈફ ફાઉન્ડેશનનું સેવાકાર્ય !

શાળામાં અભ્યાસ કરતા 500થી વધુ વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને બુટ કોસંબાના હેમલતા ચેરીટેબલ ટ્રસ્ટ અને પાનોલીના પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા આપવમાં આવ્યા

New Update
  • હાંસોટના ઇલાવ ગામે આવેલી છે શાળા

  • આર.કે.વકીલ હાઈસ્કૂલ શાળામાં યોજાયો કાર્યક્રમ

  • વિદ્યાર્થીઓને યુનિફોર્મ-બુટનું વિતરણ કરાયુ

  • હેમલતાબહેન ચેરીટેબલ ટ્રસ્ટ- પ્રો લાઈફફાઉન્ડેશનનું સેવા કાર્ય

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 500થી વધુ બાળકોને હેમલતાબહેન ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા યુનિફોર્મ તેમજ બુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત આર.કે.વકીલ હાઇસ્કુલ અને આલકા પ્રાઇમરી શાળા આવેલી છે આ શાળામાં અભ્યાસ કરતા 500થી વધુ વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને બુટ કોસંબાના હેમલતા ચેરીટેબલ ટ્રસ્ટ અને પાનોલીના પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા આપવમાં આવ્યા છે.હેમલતાબહેન ચેરીટેબલ ટ્રસ્ટના કેસરીમલ શાહ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ તો પ્રોલાઈફ ફાઉન્ડેશનના કરણ જોલી, યોગેશ પારિક અને તેમની ટીમ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આ માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે.
યુનિફોર્મ વિતરણનો આજરોજ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે હેમલતા ચેરીટેબલ ટ્રસ્ટના કેસરીમલ શાહ,હાંસોટ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ,મંડળના પ્રમુખ તુષાર પટેલ, ઉપ-પ્રમુખ ઉમેદભાઈ પટેલ, સેક્રેટરી ભગવતી પટેલ, પ્રોલાઈફ ફાઉન્ડેશનના પ્રતિનિધિ અને મંડળના સભ્ય જય વ્યાસ, મંડળના સલાહકાર ચંદ્રકાન્ત ભટ્ટ, રાજેન્દ્ર કઠવાડીયા, શાળાના આચાર્ય ધર્મેશ જોશી પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ સહિત શાળા પરિવાર તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બાળકોને યુનિફોર્મ તેમજ બુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ પર્યાવરણની જાળવણીના હેતુસર વૃક્ષારોપાણ કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા હેમલતા ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રોલાઇફ ફાઉન્ડેશનના આગેવાનોનું શાલ ઓઢાડી,સન્માન પત્ર આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.
Latest Stories