તાપી : ભાજપ પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાય, 32 મુરતિયાઓએ દાવેદારી નોંધાવી...

ગુજરાત ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ નિમવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જે અંતર્ગત તાપી જિલ્લાના પ્રમુખ માટે સુરતના પૂર્વ મેયર અને તાપી જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ હેમાલી બોધાવાલાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા યોજાય

New Update
  • જિલ્લા ભાજપ પ્રમુખ પદના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા યોજાય

  • જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ હેમાલી બોધાવાલા રહ્યા વિશેષ ઉપસ્થિત

  • પ્રમુખ બનવા માટે સેન્સ પ્રક્રિયા વેળા ઉમેદવારોનો રાફડો ફાટ્યો

  • તાપી જિલ્લામાં 32 જેટલા ઉમેદવારોએ ભર્યા છે ઉમેદવારી ફોર્મ

  • આગામી દિવસોમાં પ્રદેશ કક્ષાએથી કરવામાં આવશે નિમણુંક

તાપી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ પદના ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં પ્રમુખ બનવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો.જેમાં તાપી જિલ્લામાં 32 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

ગુજરાત ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ નિમવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જે અંતર્ગત તાપી જિલ્લાના પ્રમુખ માટે સુરતના પૂર્વ મેયર અને તાપી જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ હેમાલી બોધાવાલાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા યોજાય હતી. જેમાં જિલ્લામાંથી ઉમેદવારો દ્વારા દાવેદારી કરવામાં આવી હતી. 2 મહિલા સહિત 32 જેટલા દાવેદારો દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી.

જેમાં પ્રબળ દાવેદાર તરીકે મયંક જોશીમહેન્દ્ર પટેલકાંતિ ગામીતવિક્રમ તરસાડીયાસૂરજ વસાવા અને રાજેન્દ્ર કુંવર સહિતના દાવેદારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે અંતર્ગત આગામી દિવસોમાં જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખની પ્રદેશ કક્ષાએથી નિમણુંક કરવામાં આવશે.

#BJP president #Connect Gujarat #સેન્સ પ્રક્રિયા #politics news #Tapi BJP #bjp gujarat
Latest Stories
Read the Next Article

દેવભૂમિ દ્વારકા : થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ...

દેવભૂમિ દ્વારકા : થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ જગત મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા...

દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

New Update
  • થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ દેવભૂમિ દ્વારકાના મહેમાન બન્યા

  • હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે ભારત આવ્યા

  • બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિ જગત મંદિરે પધાર્યા

  • ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો

  • બન્ને પક્ષોના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી

દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમની આ યાત્રા બન્ને ધર્મો વચ્ચેના ગાઢ સંબંધો અને પરસ્પર સમજણને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. થાઈલેન્ડના ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ સૌપ્રથમ દ્વારક જગત મંદિરમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ દ્રશ્ય તેમની હિન્દુ સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા અને આદરભાવને ઉજાગર કરે છે. ત્યારબાદ, તેમણે શારદાપીઠના બ્રહ્મચારીઓ અને સ્થાનિક ગુગળી બ્રાહ્મણો સાથે ધર્મ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક મૂલ્યો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. આ ચર્ચાઓ દરમિયાન તેમણે બૌદ્ધ પરંપરાઓ અને દર્શનશાસ્ત્ર વિશે પણ માહિતી આપી હતી. જેનાથી બન્ને પક્ષોને એકબીજાના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી હતી.