પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સૌપ્રથમ વખત સોમનાથ મહોત્સવનું આયોજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રારંભ...

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રથમ વખત સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

New Update
  • પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આયોજન

  • સૌપ્રથમ વખત સોમનાથ મહોત્સવનું આયોજન કરાયું

  • રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રારંભ

  • મહાઆરતી, નૃત્ય-સંગીત સહિતના કાર્યક્રમોનું આયોજન

  • ત્રિદિવસીય સોમનાથ મહોત્સવમાં જનમેદની ઉમટશે

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રથમ વખત સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગત તા. 24 ફેબ્રુઆરી-2025ના રોજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સૌ પ્રથમ મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું હતું. ત્યારબાદ સોમનાથ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીએ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, અહીં ત્રિવેણી ઘાટ ખાતે રોજ રાત્રે 108 દિવડાઓ દ્વારા મહાઆરતી કરવામાં આવશે. આ સાથે જ પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય સંગીત મહોત્સવનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સોમનાથ દર્શન માટે શ્રદ્ધાળુઓને વધુ કનેક્ટિવિટી મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.