પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સૌપ્રથમ વખત સોમનાથ મહોત્સવનું આયોજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રારંભ...

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રથમ વખત સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

New Update
  • પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આયોજન

  • સૌપ્રથમ વખત સોમનાથ મહોત્સવનું આયોજન કરાયું

  • રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રારંભ

  • મહાઆરતી, નૃત્ય-સંગીત સહિતના કાર્યક્રમોનું આયોજન

  • ત્રિદિવસીય સોમનાથ મહોત્સવમાં જનમેદની ઉમટશે

Advertisment W3.CSS
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રથમ વખત સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગત તા. 24 ફેબ્રુઆરી-2025ના રોજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સૌ પ્રથમ મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું હતું. ત્યારબાદ સોમનાથ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીએ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, અહીં ત્રિવેણી ઘાટ ખાતે રોજ રાત્રે 108 દિવડાઓ દ્વારા મહાઆરતી કરવામાં આવશે. આ સાથે જ પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય સંગીત મહોત્સવનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સોમનાથ દર્શન માટે શ્રદ્ધાળુઓને વધુ કનેક્ટિવિટી મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
Read the Next Article

ભરૂચ: વાલિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપાણ-ખાસ ગ્રામસભાનું આયોજન

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
aa

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment W3.CSS
આજે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વાલિયા તાલુકાના પુસ્તકાલય ખાતે તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ,મામલતદાર શ્રદ્ધાબેન નાઈક,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા,વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા,ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ,પૂર્વ સરપંચ મહેશ વસાવા,વન વિભાગના અધિકારી સહિત આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જે બાદ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા મળી હતી.
તો વાલિયા તાલુકાના ચમારીયા ગામ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વિશ્વ પર્યાવરણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ ખાસ ગ્રામ સભા મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને પ્લાસ્ટિક મુક્તિ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.સાથે સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉત્પાદનને પ્રોત્સાહ આપવામાં આવે છે અને બીજી તરફ પ્લાસ્ટિક મુક્તિ અંગે પૂર્વ પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતાં