સોમનાથ : ગાયન,વાદન અને નૃત્યનો ત્રિવેણી સંગમ, દેશભરમાંથી 350 કલાકારો આવ્યાં

સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત દેશના વિવિધ રાજયોમાંથી આવેલા ૩૫૦ થી વધુ કલાકારો સતત પાંચ દિવસ સુધી કલાની સાધના કરશે.

New Update
સોમનાથ : ગાયન,વાદન અને નૃત્યનો ત્રિવેણી સંગમ, દેશભરમાંથી 350 કલાકારો આવ્યાં

સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત દેશના વિવિધ રાજયોમાંથી આવેલા ૩૫૦ થી વધુ કલાકારો સતત પાંચ દિવસ સુધી કલાની સાધના કરશે. ગાયન,વાદન અને નૃત્યના ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમનો શનિવારથી પ્રારંભ થયો છે.

સોમનાથ દેશના પ્રથમ જયોર્તિલીંગ માટે જાણીતું છે અને દેશ- વિદેશમાંથી લાખો લોકો સોમનાથ મહાદેવના દર્શને આવતાં હોય છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શનિવારથી સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ સંગીત નાટક અકાદમી નવી દિલ્હીના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાય રહયો છે. અમૃત ધારા મહોત્સવમા આસામ, મણિપુર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ સહિતના રાજ્યોમાંથી કલાકારો સોમનાથ ખાતે આવ્યાં છે. ૩૫૦થી વધુ કલાકારો પરંપરાગત નૃત્ય અને ભક્તિમય સંગીતની પ્રસ્તુતિ રજૂ કરશે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.