ગુજરાતભરમાં અચાનક વાતાવરણમાં પલટો,વિવિધ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો

ગુજરાત રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે,જૂનાગઢ,અમરેલી,વલસાડ,ભરૂચ સહિતના જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

New Update

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ 

વાતાવરણમાં આવ્યો પલટો 

સર્જાયો વરસાદી માહોલ 

કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ 

અરબ સાગરમાં ડિપ્રેશનની અસર 

ગુજરાત રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે,જૂનાગઢ,અમરેલી,વલસાડ,ભરૂચ સહિતના જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.
ગુજરાત રાજ્યમાં નવરાત્રી પર્વના અંતિમ દિવસોમાં વરસાદ વરસ્યો હતો,ત્યાર બાદ લોકોએ ગરમીનો સામનો કર્યો હતો,આજરોજ સવારથી જ સૂરજદાદા ગરમી વરસાવી રહ્યા હતા,જો કે બપોરના સમયે મેઘરાજાએ અચાનક બઘડાટી બોલાવી હતી,અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો,જોકે વાતાવરણમાં અચાનક આવેલા બદલાવે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો.હવામાન વિભાગની આગાહીના પગલે જૂનાગઢ જિલ્લાના મેંદરડા,માલણક,સાસણ ગીર સહિતના વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો.વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા.જ્યારે વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.એક તરફ સાસણગીર ખાતે ચાર મહિનાના લાંબા સમયગાળા બાદ આજે જંગલ સફારીનું વેકેશન ખુલ્યું છે ત્યારે વરસાદનું આગમન થતાં હાલ પર્યટકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.    
તો બીજી તરફ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા હતા.સાવરકુંડલાના ઘનશ્યામનગર, આદસંગ, થોરડી, છાપરી, લીખાળા, વીજપડી, ડેડકડી, ભોંકરવા ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો.આ ઉપરાંત વલસાડ જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો.
અરબ સાગરમાં સર્જાયેલ ડિપ્રેશનને પગલે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.જે આગાહીને કારણે આજરોજ બપોર બાદ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને વાલિયા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.વાલિયા તાલુકાના ડહેલી, સિલુડી, ઘોડા,કોંઢ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.તો અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો.છેલ્લા બે દિવસથી ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.વરસાદ વરસતા જ લોકોએ બફારા વચ્ચે રાહતનો શ્વાસ લીધો હતો.જ્યારે હવામાન વિભાગ દ્વારા હજી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Read the Next Article

ચૈતર વસાવાના કેસમાં પોલીસ એફિડેવિટ રજૂ કરવામાં નિષ્ફળ રહેતા જામીનની સુનાવણી ટળી

'લાફા કાંડ' સંબંધિત કેસમાં રાજપીપળા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી માટે સુનાવણી હતી,પરંતુ પોલીસ દ્વારા એફિડેવિટ રજુ કરવામાં વિલંબ થતા સુનાવણી ટળી

New Update
Chaitar Vasava Bail Hearing

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને'લાફા કાંડસંબંધિત કેસમાં જામીન મેળવવામાં વધુ વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે.રાજપીપળા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી માટે સુનાવણી હતી,પરંતુ પોલીસ દ્વારા એફિડેવિટ રજુ કરવામાં વિલંબ થતા સુનાવણી ટળી હતી. 

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા વસાવાની જામીન અરજી પર આજે રાજપીપળાની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતીપરંતુ દેડિયાપાડા પોલીસ એફિડેવિટ એટલે કે સોગંદનામું રજૂ કરવામાં નિષ્ફળ રહેતા સુનાવણી તારીખ 11 જુલાઈ 2025 પર મુલતવી રાખવામાં આવી છે.

પ્રાથમિક માહિતી અનુસારજ્યાં સુધી પોલીસ તેમની એફિડેવિટ રજૂ નહીં કરે ત્યાં સુધી ચૈતર વસાવાને જામીન મળવા મુશ્કેલ છે. પોલીસ દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યા બાદ જ કોર્ટ દ્વારા જામીન અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.