સુરત: અમરેલી લેટર કાંડ મુદ્દે પરેશ ધાનાણીનો આક્ષેપ,માછલીઓને મારીને મગરમચ્છને બચાવાનો પ્રયાસ

કોંગ્રેસ નેતા પરેશ ધાણાની,પ્રતાપ દુધાત સહિતના નેતાઓએ સુરતમાં આંદોલનના પગલા માંડતા જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી,જોકે ત્યાર બાદ પરેશ ધાનાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી

New Update
  • લેટરકાંડના મુદ્દાએ  રાજકીય રંગ પકડ્યો

  • પાટીદાર યુવતી સામે પોલીસ કાર્યવાહી બાદ વિવાદ વકર્યો

  • આ કાંડમાં ત્રણ પોલીસકર્મીઓને કરાયા છે સસ્પેન્ડ 

  • પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સમાં સરકાર સામે કર્યા આક્ષેપ

  • કાંડમાં સંડોવાયેલા લોકોનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ

 અમરેલીના લેટરકાંડનો મામલો સુરત સુધી પહોંચ્યો છે.આંદોલનના કેન્દ્રમાં રહેલા વરાછા માનગઢ ચોકમાં પરેશ ધાનાણીપ્રતાપ દૂધાત સહિતના નેતાઓની અટકાયત કરાઈ હતી.ત્યારે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

અમરેલીમાં લેટરકાંડમાં પાયલ ગોટી સામે પોલીસે કરેલી કાર્યવાહી બાદ આ મુદ્દાએ રાજકીય રંગ પકડી લીધો છે,કોંગ્રેસ નેતા પરેશ ધાણાની,પ્રતાપ દુધાત સહિતના નેતાઓએ સુરતમાં આંદોલનના પગલા માંડતા જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી,જોકે ત્યાર બાદ પરેશ ધાનાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી,અને તેઓએ આ પ્રસંગે માછલીઓને મારીને મગરમચ્છને બચાવાનો પ્રયાસ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કર્યા હતા.  

બીજી તરફ આ લેટરકાંડની તપાસ હવે DIG નિર્લિપ્ત રાયને સોંપી દેવામાં આવી છે. એક તરફ આ મામલે રાજનીતિ ગરમાઈ છે,તો બીજી તરફ પોલીસ પણ હવે એક્શનમાં જોવા મળી રહી છે. અમરેલી SP દ્વારા રવિવારે જ એલસીબીના ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા હતા.જ્યારે પરેશ ધાનાણીએ આ કાંડમાં સંડોવાયેલા લોકોનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ કરી હતી. ભાજપના લોકો જ આ ષડયંત્રમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.