-
લેટરકાંડના મુદ્દાએ રાજકીય રંગ પકડ્યો
-
પાટીદાર યુવતી સામે પોલીસ કાર્યવાહી બાદ વિવાદ વકર્યો
-
આ કાંડમાં ત્રણ પોલીસકર્મીઓને કરાયા છે સસ્પેન્ડ
-
પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સમાં સરકાર સામે કર્યા આક્ષેપ
-
કાંડમાં સંડોવાયેલા લોકોનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ
અમરેલીના લેટરકાંડનો મામલો સુરત સુધી પહોંચ્યો છે.આંદોલનના કેન્દ્રમાં રહેલા વરાછા માનગઢ ચોકમાં પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના નેતાઓની અટકાયત કરાઈ હતી.ત્યારે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
અમરેલીમાં લેટરકાંડમાં પાયલ ગોટી સામે પોલીસે કરેલી કાર્યવાહી બાદ આ મુદ્દાએ રાજકીય રંગ પકડી લીધો છે,કોંગ્રેસ નેતા પરેશ ધાણાની,પ્રતાપ દુધાત સહિતના નેતાઓએ સુરતમાં આંદોલનના પગલા માંડતા જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી,જોકે ત્યાર બાદ પરેશ ધાનાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી,અને તેઓએ આ પ્રસંગે માછલીઓને મારીને મગરમચ્છને બચાવાનો પ્રયાસ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કર્યા હતા.
બીજી તરફ આ લેટરકાંડની તપાસ હવે DIG નિર્લિપ્ત રાયને સોંપી દેવામાં આવી છે. એક તરફ આ મામલે રાજનીતિ ગરમાઈ છે,તો બીજી તરફ પોલીસ પણ હવે એક્શનમાં જોવા મળી રહી છે. અમરેલી SP દ્વારા રવિવારે જ એલસીબીના ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા હતા.જ્યારે પરેશ ધાનાણીએ આ કાંડમાં સંડોવાયેલા લોકોનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ કરી હતી. ભાજપના લોકો જ આ ષડયંત્રમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો હતો.