/connect-gujarat/media/post_banners/b5a93b5a62405b486f409a728784290613347a0461689b8203f587fd19438d8e.jpg)
સુરેન્દ્રનગર નજીક હાઇવે પરનો બનાવ
ધ્રાંગધ્રા નજીક ઇકો કાર પલટી
અકસ્માતમાં 4 લોકોના મોત
એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા
કારનું ટાયર ફાટી જતા સર્જાયો અકસ્માત
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ત્રણ સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.
અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. જે લગ્ન પ્રસંગ પતાવીને પરત ધ્રાંગધ્રા જઇ રહ્યો હતો ત્યારે ધ્રાંગધ્રા માલવણ હાઇવે પરના હરીપર બ્રિજ પાસે આવેલી ગોકુળ હોટલ પાસે પુરઝડપે જતી ઇકો કારનું ટાયર ફાટી ગયું હતું.પુરઝડપે જતી કારનું અચાનક ટાયર ફાટી જતાં ઇકો કાર પલટીને ઊંધી વળી ગઇ હતી. જેમાં સવાર પાંચ લોકો પૈકી ચારના મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. ચાર મૃતકોમાં બે મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. જેમાં ત્રણ એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે.આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. જેમણે 108 અને પોલીસને જાણ કરતા ઘટનાસ્થળ પર બચાવ ટીમ પહોંચી ગઈ હતી. પોલીસે પણ તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.