સુરેન્દ્રનગર:ખનીજ ચોરી અંગે રજુઆત કરનાર પરિવારના ઘરપર 8 રાઉન્ડ ફાયરીંગ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે ખનીજ ચોરી અંગેની રજુઆત કરનાર પરિવારના ઘર પર 8 રાઉન્ડ ફાઉરિંગ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે ખનીજ ચોરી અંગેની રજુઆત કરનાર પરિવારના ઘર પર 8 રાઉન્ડ ફાઉરિંગ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે

સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાક સમયથી ખનીજમાફિયાઓ બેલગામ બન્યા હોય તેમ એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામમાં રહેતા એક પરિવાર દ્વારા ગામ નજીક આવેલા કમ્બોચાળા વિસ્તાર પાસેથી કાળા પત્થરની ખનીજ ચોરી થતી હોવા અંગે કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. અહીંથી કાળા પથ્થરો કાઢી ખનીજમાફિયાઓ પોતાના ભરડીયામાં પથ્થરોનો ઉપયોગ કરતા હોવા અંગે રજૂઆતો કરવામાં આવી હતી. જો આ ગેરકાયદે ખાણો બંધ કરાવવામાં ન આવે તો પરિવાર દ્વારા 25 સપ્ટેમ્બરથી સુરેન્દ્રનગર કલેકટર કચેરી સામે ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.ખનીજ ચોરી બંધ કરાવવા રજૂઆત કરનારા પરિવારના ઘર પર રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા આઠેક રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. ઘર પર લાગેલા સીસીટીવી પણ તોડી નાખવામાં આવ્યા હતા. રાત્રિના સમયે અચાનક ફાયરિંગ થતા ઘરમાં રહેલા લોકો ફફડી ઉઠ્યા હતા. સદનસીબે ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.આ ઘટનાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડ્યા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર: વાલિયા ચાર રસ્તા પર 2 બાઈક સામ સામે ભટકાય, પત્નિનું મોત-પતિ સહિત 2 લોકોને ઇજા

ભરૂચના વાલિયા ગામના ચાર રસ્તા પાસે બે બાઇક સામસામે ભટકાતા એક યુવતીનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે પતિ સહિત બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.

New Update
  • ભરૂચના વાલિયામાં સર્જાયો અકસ્માત

  • વાલિયા ચાર રસ્તા પર અકસ્માત સર્જાયો

  • 2 બાઈક સામસામે ભટકાય

  • બાઈક સવાર પત્નીનું મોત

  • પતિ સહિત 2 લોકોને પહોંચી ઇજા

ભરૂચના વાલિયા ગામના ચાર રસ્તા પાસે બે બાઇક સામસામે ભટકાતા એક યુવતીનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે પતિ સહિત બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.
સાગબારાના જાવલી ગામના અને હાલ ભરૂચના વાલિયા ગામની સિલુડી ચોકડી પાસે બ્લોક બનાવતી ફેક્ટરીમાં રહેતી 30 વર્ષીય શર્મિલા વસાવા પોતાના પતિ વિશાલ વસાવા સાથે બાઈક  વતનમાં જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન વાલિયા ગામના ચાર રસ્તા પાસે સામેથી પૂરપાટ ઝડપે આવતી ભિલોડ ગામના રોશન રવજી વસાવાની બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે દંપતી સહિત ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શર્મિલાબહેનનું કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત રોશન વસાવાને વધુ સારવાર માટે અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.