સુરેન્દ્રનગર:રાજકોટ હાઇવે પર પિતૃકાર્ય માટે જતા પરિવારને થયો કાળનો ભેટો,4 મહિલાના મોત

પરિવારના લોકો પિતૃકાર્ય માટે સોમનાથ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા-રાજકોટ હાઇવે પર મોલડી પાસે પહોંચતા ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો

New Update
  • ચોટીલા રાજકોટ હાઇવે પર સર્જાયો અકસ્માત 

  • ટ્રક અને પીકઅપ વાન સર્જાયો ગોઝારો અકસ્માત 

  • પિતૃકાર્ય માટે જતા પરિવારને થયો કાળનો ભેટો 

  • એક જ પરિવારની ચાર મહિલાઓ મોતને ભેટી

  • મોરારીબાપુએ મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ  

 

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-રાજકોટ હાઇવે પર ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને પિકઅપ વાન ભટકાતા એક જ પરિવારની મહિલાઓનાં મોત થયાં છે. જ્યારે 15 લોકોને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના લોકો પિતૃકાર્ય માટે સોમનાથ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા-રાજકોટ હાઇવે પર મોલડી પાસે પહોંચતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતા પિકઅપમાં સવાર 20 લોકો પૈકી બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા હતા.

જ્યારે 15 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા ચોટીલા અને રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એક મહિલાનું ચોટીલા સરકારી હોસ્પિટલમાં અને એક મહિલાનું રાજકોટ સરકારી હોસ્પિટલમાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ મૃતક ચારેય મહિલાઓ રેથરિયા કોળી પરિવારની સગી દેરાણી જેઠાણી છે.મધરાતે થયેલા આ ગંભીર અકસ્માતની જાણ થતા પોલીસ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. 

આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓને પૂજ્ય મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા 15 હજાર લેખે કુલ મળીને રૂપિયા 60 હજારની સંવેદના રાશિ અર્પણ કરી છે.

 

 

 

Read the Next Article

મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધમાકેદાર કરી એન્ટ્રી, હવામાન વિભાગે 22થી 25 ભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગુજરાત પર સર્જાયેલી વરસાદની સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે.

New Update
rain varsad

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગુજરાત પર સર્જાયેલી વરસાદની સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગે 22થી 25 ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં 25 જુને જો વધુ સિસ્ટમન એક્ટિવ થશે તો ફરી  25 બાદ પણ ગુજરાતમાં વરસાદ અવિરત રહેશે. હાલ ઓફ શૉર ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્ય છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે.  

હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે 30 જૂન સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને  22થી 25 દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને જોતા કચ્છ, બનાસકાંઠામાં યલો એલર્ટ આપ્યું છે . પાટણ અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપ્યું છે. તાપી, નવસારીમાં આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. વલસાડ, ડાંગમાં વરસાદની શક્યતાને જોતા  યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

Latest Stories