સુરેન્દ્રનગર : મૂળીના પ્રકૃતિ પ્રેમીનો રાષ્ટ્રીય પક્ષી મોર ઉછેર માટેનો સેવાયજ્ઞ,12 વર્ષમાં 40થી વધુ મોરનો કર્યો છે ઉછેર

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામના પ્રકૃતિ પ્રેમી યુવક રાષ્ટ્રીય પક્ષી મોર માટે સેવાયજ્ઞ કરી રહ્યો છે.અને 12 વર્ષમાં 40થી વધુ મોર ઉછેરીને અનોખો પક્ષી પ્રેમ ઉજાગર કર્યો છે.

New Update
  • પ્રકૃતિ પ્રેમીનો રાષ્ટ્રીય પક્ષી મોર પ્રત્યેનો પ્રેમ

  • મોરના ઉછેર માટે કરે છે સેવાયજ્ઞ

  • 12 વર્ષમાં 40 મોરનો કર્યો છે ઉછેર

  • મોર માટે પાણી ચણની સ્વખર્ચે આપે છે સેવા

  • મોર ટહુકો કરીને આપે છે આવકાર

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામના પ્રકૃતિ પ્રેમી યુવક રાષ્ટ્રીય પક્ષી મોર માટે સેવાયજ્ઞ કરી રહ્યો છે.અને 12 વર્ષમાં 40થી વધુ મોર ઉછેરીને અનોખો પક્ષી પ્રેમ ઉજાગર કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં સરલા ગામે સેવાભાવી અને પ્રકૃતિપ્રેમી યુવાન એવા રાકેશ બોચીયા ઉર્ફે લાલાએ મોર ઉછેરનું સરાહનીય કાર્ય છેલ્લા 12 વર્ષથી કરી રહ્યા છે,અને તેમાં પણ  છેલ્લા ચાર વર્ષથી તો નિયમિત રીતે રાષ્ટ્રીય પક્ષી મોરના બચ્ચાઓને પાણી ચણની સ્વખર્ચે સેવા આપે છે.જેમાં હાલમાં મોરની સંખ્યા 40 ઉપર થ‌ઈ છે અને તેઓને જોઈને "ટહુકા " કરી પક્ષીઓ પણ આવકારો આપતા હોય તેવા દ્રશ્યો સરલા ગામે વહેલી સવારે જોવા મળે છે.

આ અંગે રાકેશે જણાવ્યું હતું કે તેઓ એક સામાન્ય નોકરી કરતા હોય તેમાંથી દરરોજ અનાજ ચણ માટે 400 રૂપિયાનો ખર્ચ થાય છે,અને સવાર સાંજે ટાઈમસર હાજરી આપવી પડતી હોય છે. ફક્ત પાંચ મોર હતા ત્યારથી તેઓ કાર્યરત હતા.આજે 40થી વધુ ઉપરની સંખ્યા થતા તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.