ધ્રાંગધ્રાના શિલ્પકારની કળાને મળ્યું લિમ્કા બુક ઈન્ડિયામાં સ્થાન

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં રહેતા વિજય સોમપુરાએ સેન્ડ સ્ટોનના પથ્થરોમાંથી 10 કિલો વજનથી લઈને 35 કિલો વજનની પાણી ઉપર તરતી અવનવી કૃતિઓ બનાવી છે.

New Update
  • ધ્રાંગધ્રા શહેરના શિલ્પકારની કળાને પ્રાપ્ત થઈ અનોખી સિદ્ધિ

  • શિલ્પકાર વિજય સોમપુરાને મળ્યું લિમ્કા બુક ઈન્ડિયામાં સ્થાન

  • પથ્થરમાં કોતરણી કરીને બનાવી રહ્યા છે અલગ અલગ કૃતિઓ

  • પથ્થરના કાચબા સહિતની કૃતિઓને કરી પાણી ઉપર તરતી

  • લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થતાં ગર્વ અનુભવ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોમપુરાના શીલ્પકારો દ્વારા પથ્થરની કલાકારી દેશ-વિદેશમાં અનેક મંદિરો કરવામાં આવી છે, ત્યારે શીલ્પકાર વિજય સોમપુરાએ ધ્રાંગધ્રાના પથ્થરમાંથી પાણી પર તરતી વિવિધ કૃતીઓ બનાવતા લીમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં રહેતા વિજય સોમપુરાએ સેન્ડ સ્ટોનના પથ્થરોમાંથી 10 કિલો વજનથી લઈને 35 કિલો વજનની પાણી ઉપર તરતી અવનવી કૃતિઓ બનાવી છે. જેમાં બતકમગર અને કાચબાની કૃતિઓનો સમાવેશ થાય છે. વિજય સોમપુરા પોતે છેલ્લા ઘણા વર્ષોથી પથ્થર ઘડવાનું કામ કરે છેઅને અને પથ્થરોમાંથી ભગવાનની મૂર્તિઓ તેમજ મંદિર બનાવે છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેઓ મંદિરમાં પથ્થરની કોતરણીના કામ કરવા માટે પણ જાય છેત્યારે ધ્રાંગધ્રાના શિલ્પકારની કાલાકૃતિ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતા ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.