Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : અંગત અદાવતે અજાણ્યા ઇસમોએ યુવાનને ઝીંકી દીધું ચપ્પુ, મોત નિપજતા પોલીસ તપાસ શરૂ...

ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામના વાડી વિસ્તારમાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કંકાવટી ગામના યુવાનને પેટના ભાગે છરી વડે હુમલો કરતા મોત નિપજ્યું હતુ.

X

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામના વાડી વિસ્તારમાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કંકાવટી ગામના યુવાનને પેટના ભાગે છરી વડે હુમલો કરતા મોત નિપજ્યું હતુ. બનાવના પગલે પોલીસે મૃતદેહને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામના વાડી વિસ્તારમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કંકાવટી ગામના યુવાનને પેટના ભાગે છરી વડે હુમલો કરતા તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ કાફલો તાત્કાલિક સોલડી ગામે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવાન 20 વર્ષીય મેહુલ ધીરુભાઈ ઠાકોર હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, હત્યાનું કારણ જૂની અંગત અદાવત હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે. તો બીજી તરફ, બનાવના પગલે સમાજના આગેવાનો તાકીદે હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યારે ઘાતકી હત્યાની ઘટના અંગે ધ્રાંગધ્રા પોલીસે હજી સુધી ફરિયાદ ન નોંધાતા પોસ્ટમોર્ટમ થઇ જવા છતાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો. જોકે, આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી પૂછપરછનો દોર લંબાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

Next Story