સુરેન્દ્રનગર : લીંબડી હાઇવે પર અકસ્માત બાદ 2 ટ્રકમાં આગ ફાટી નીકળી, 2 લોકો જીવતા ભૂંજાયા...

અમદાવાદ-રાજકોટ હાઇવે પર જનશાળી ગામના પાટિયા નજીક 2 ટ્રક વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ બન્ને વાહનમાં ભયાવહ આગ ફાટી નીકળી હતી

New Update
સુરેન્દ્રનગર : લીંબડી હાઇવે પર અકસ્માત બાદ 2 ટ્રકમાં આગ ફાટી નીકળી, 2 લોકો જીવતા ભૂંજાયા...

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત બાદ ભયાનક આગ ફાટી નીકળતા બન્ને વાહનના ચાલકો જીવતા ભૂંજાયા હતા. બનાવના પગલે લીંબડી ફાયર ફાઇટર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ-રાજકોટ હાઇવે પર જનશાળી ગામના પાટિયા નજીક 2 ટ્રક વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ બન્ને વાહનમાં ભયાવહ આગ ફાટી નીકળી હતી, ત્યારે ટ્રકમાં લાગેલી આગના કારણે બન્ને ટ્રકના ચાલકોના ટ્રકમાં જ સળગી જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. બેમાંથી કોઈ એક ટ્રકમાં કોઈ જ્વલનશીલ પદાર્થ હોવાથી બન્ને ટ્રક ભડભડ સળગી ઊઠી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, આ અકસ્માતની ઘટનામાં હજી મોતનો આંક વધવાની શક્યતા સેવાઈ રહી છે. બનાવના પગલે લીંબડી સહિતની ફાયર ફાઇટર ટીમે ઘટનાસ્થળે દોડી આવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી, જ્યારે બનાવની જાણ થતાં લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં 4થી 5 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે મહદંશે આગ પર કાબુ મેળવ્યો હતો.

Read the Next Article

આદિપુરથી અંજાર તરફ જતાં રોડ પર કિશોરી પર દુસ્કર્મ કરવાના બનાવમાં બે આરોપીઓની કરાઇ ધરપકડ

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા. 

New Update
aadipur

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા.  ત્યારે રસ્તામાં બે અજાણ્યા ઇસમોએ તેને આંતરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની ધમકી આપી હતી.

બાદ, તેમાંથી એક આરોપી પોલીસ સ્ટેશનમાં લઈ જવાના બહાને કિશોરીને મોપેડમાં બેસાડી અપહરણ કરી, રસ્તામાં કોઇ ટેકરા જેવી જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં દુસ્કર્મ આચરવામાં આવ્યુ હતુ ઘટના બાદ પીડિતાએ પરિવારજનોને જાણ કરતાં પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરતાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં મહેશ ઉર્ફે ડાભલો  મોતીભાઈ કોલી, સંદીપભાઈ ઘનશ્યામગર ગુસાઈ ની ધરપકડ કરવામાં આવી છે.