Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : લીંબડી હાઇવે પર અકસ્માત બાદ 2 ટ્રકમાં આગ ફાટી નીકળી, 2 લોકો જીવતા ભૂંજાયા...

અમદાવાદ-રાજકોટ હાઇવે પર જનશાળી ગામના પાટિયા નજીક 2 ટ્રક વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ બન્ને વાહનમાં ભયાવહ આગ ફાટી નીકળી હતી

સુરેન્દ્રનગર : લીંબડી હાઇવે પર અકસ્માત બાદ 2 ટ્રકમાં આગ ફાટી નીકળી, 2 લોકો જીવતા ભૂંજાયા...
X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત બાદ ભયાનક આગ ફાટી નીકળતા બન્ને વાહનના ચાલકો જીવતા ભૂંજાયા હતા. બનાવના પગલે લીંબડી ફાયર ફાઇટર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ-રાજકોટ હાઇવે પર જનશાળી ગામના પાટિયા નજીક 2 ટ્રક વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ બન્ને વાહનમાં ભયાવહ આગ ફાટી નીકળી હતી, ત્યારે ટ્રકમાં લાગેલી આગના કારણે બન્ને ટ્રકના ચાલકોના ટ્રકમાં જ સળગી જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. બેમાંથી કોઈ એક ટ્રકમાં કોઈ જ્વલનશીલ પદાર્થ હોવાથી બન્ને ટ્રક ભડભડ સળગી ઊઠી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, આ અકસ્માતની ઘટનામાં હજી મોતનો આંક વધવાની શક્યતા સેવાઈ રહી છે. બનાવના પગલે લીંબડી સહિતની ફાયર ફાઇટર ટીમે ઘટનાસ્થળે દોડી આવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી, જ્યારે બનાવની જાણ થતાં લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં 4થી 5 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે મહદંશે આગ પર કાબુ મેળવ્યો હતો.

Next Story