સુરેન્દ્રનગર : ચોટીલા ખાતે રાજ્યકક્ષાના "ચોટીલા ઉત્સવ-2024"નો શુભારંભ, કલાકારોએ વિવિધ કૃતિઓ રજૂ કરી…

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલા ખાતે રાજ્યકક્ષાના 2 દિવસીય "ચોટીલા ઉત્સવ-2024"નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.

New Update
સુરેન્દ્રનગર : ચોટીલા ખાતે રાજ્યકક્ષાના "ચોટીલા ઉત્સવ-2024"નો શુભારંભ, કલાકારોએ વિવિધ કૃતિઓ રજૂ કરી…

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલા ખાતે રાજ્યકક્ષાના 2 દિવસીય "ચોટીલા ઉત્સવ-2024"નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.

ગ્રામ્ય કક્ષાના કલાકારોને પ્રોત્સાહન મળે એ હેતુથી રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનર, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે 2 દિવસીય 'ચોટીલા ઉત્સવ-2024'નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં કચ્છ, અમદાવાદ, ધ્રોલ, પંચમહાલ, સુરેન્દ્રનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લામાંથી કલાકારો દ્વારા રાસ, ગરબા, ડાકલા, આરતી રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે પદ્મશ્રી જગદીશ ત્રિવેદી, જિલ્લા કલેકટર, ચોટીલા પ્રાંત અધિકારી, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ, શહેરના અગ્રણીઓ, જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા દ્વારકા, સોમનાથ, ડાકોર, શામળાજી, ચોટીલા સહિતના 11 ધાર્મિક સ્થળોએ દર વર્ષે આવા ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારની ઉજવણીથી ગુજરાતના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન થઈ જ રહ્યું છે. આ ઉપરાંત પ્રતિભાશાળી સ્થાનિક કલાકારોને પોતાના કલા કૌશલ્યનું પ્રદર્શન કરવા માટે એક સુંદર મંચ પણ ઉપલબ્ધ થઈ રહ્યો છે. ચોટીલા ઉત્સવ યુવા શક્તિને પ્રોત્સાહન આપતો ઉત્સવ બની રહ્યો છે. આ ઉત્સવના માધ્યમથી સરકાર દ્વારા કલાને જીવંત રાખવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

    Read the Next Article

    ભરૂચ: નગર સેવા સદન દ્વારા બિસ્માર માર્ગો પર થીંગડા મરવાનું શરૂ કરાયું, કેટલા દિવસ ટકે એ જોવું રહ્યું !

    ભરૂચ શહેરમાં વરસાદી મહોલ વચ્ચે ઠેર ઠેર વિવિધ માર્ગો પર ખાડા પડ્યા છે ત્યારે નગરપાલિકાએ આખરે ખાડા પૂરવાનું અભિયાન શરૂ કર્યું છે

    New Update
    • ભરૂચમાં ચોમાસામાં વિવિધ માર્ગો બન્યા બિસ્માર

    • વરસાદી માહોલ વચ્ચે માર્ગો પર પડ્યા ખાડા

    • મસમોટા ખાડાના કારણે વાહનચાલકો પરેશાન

    • નગરપાલિકાએ ખાડા પુરવાનું શરૂ કર્યું

    • લાખો રૂપિયાનો કરાશે ખર્ચ !

    ભરૂચ શહેરમાં વરસાદી મહોલ વચ્ચે ઠેર ઠેર વિવિધ માર્ગો પર ખાડા પડ્યા છે ત્યારે નગરપાલિકાએ આખરે ખાડા પૂરવાનું અભિયાન શરૂ કર્યું છે
    ભરૂચમાં વરસાદની સાથે જ નગરપાલિકાએ દર વર્ષની જેમ ખાડા પુરવાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. શહેરના આઇકોનિક રોડ સહિત મુખ્ય માર્ગો પર વરસાદનના કારણે પડેલા ખાડાઓને પૂરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.નગરપાલિકા દ્વારા દર વર્ષે રોડનું નવીનીકરણ અને સમારકામ કરવામાં આવે છે પરંતુ વરસાદ શરૂ થતાં જ એ જ રસ્તાઓ ફરી ખસ્તાહાલ બની જતા હોવાથી આ અભિયાન જરૂરી બની જાય છે.
    આજના દિવસે શહેરના શક્તિ સર્કલથી ભૃગુઋષિ બ્રિજના નીચે આવેલા સર્વિસ રોડ પર મોટા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે વરસાદી માહોલ વચ્ચે લોકોને અગવડ ન પડે એ માટે ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આવનારા સમયમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની કામગીરી કરાશે.