સુરેન્દ્રનગર: ધાંગધ્રા નગર સેવા સદન દ્વારા આયોજિત લોકમેળાનો પ્રારંભ કરાયો

સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા

New Update

સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા

સૌરાષ્ટ્રમાં મેળાની સિઝન શરૂ થઈ છે ત્યારે  ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં  કેબિનેટ મંત્રી  મુળુભાઇ બેરા ઉપસ્તિથ રહ્યા હતા જીલ્લાના સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા ધારાસભ્ય પ્રકાશ વરમોરા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા તેમજ નગરપાલિકાના પ્રમુખ  સહિતના આગેવાનોએ ખુલ્લો મુક્યો હતો.વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે, માનવી આદીકાળથી મેળાઓ અને ઉત્સવોની ઉજવણી કરતો આવ્યો છે. પ્રચલિત મેળાઓ અને તહેવારો સાથે ધાર્મિક માન્‍યતાઓ અને પરંપરાગત રીતરિવોજો જોડાયેલા છે. ગુજરાત રાજ્ય તેના પરંપરાગત મેળાઓ અને તહેવારોના કારણે વિશ્વભરમાં જાણીતું છે. 
Read the Next Article

ભરૂચ: જાહેરમાં કચેરો ફેંકનાર લોકોને નગર સેવા સદને ભણાવ્યો પાઠ, જાતે કચરો ઉપાડાવી વિડીયો જાહેર કરાયા

સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી

New Update
garbage
ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવાના પ્રયાસો હવે વધુ ગંભીર બનાવાયા છે. નગરપાલિકાએ જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે લાલ આંખ કરી છે. શનિવારે સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના કર્મચારીઓએ જાહેરમાં ફેંકનાર પાસે જાતે કચરો ઉપાડાવી વીડિયો પણ જાહેર કર્યા છે.પાલિકા અનુસાર જો હજુ બેજવાબર નાગરિકો આદત નહિ છોડે તો તેમની સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે.
Latest Stories