સુરેન્દ્રનગર: ચોટીલાના 5થી વધુ ગામોમાં જળસંકટને કારણે ૩૦૦થી વધુ પરિવારોની હિજરત !

સુરેન્દ્ર નગરમાં પાણીની પારાયણ ચોટીલાના 5 ગામોમાં દાનિય સ્થિતિ જળ સંકટના કારણે પરિવારો હિજરત કરવા મજબૂર

New Update
સુરેન્દ્રનગર: ચોટીલાના 5થી વધુ ગામોમાં જળસંકટને કારણે ૩૦૦થી વધુ પરિવારોની હિજરત !

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા સર્જાતા પાંચથી વધુ ગામોના ૩૦૦થી વધુ પરિવારો એક હજારથી વધુ પશુઓ સાથે ગામ છોડી હિજરત કરી ગયાં છે. હાલ ગામમાં પાણીની ગંભીર સમસ્યાને લઇને મહિલાઓ ને પાણી માટે રઝળપાટ કરવાની નોબત આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદાના નીરનો સૌથી વધુ લાભ મળ્યો હોવાની સરકાર દ્વારા ગુલબાંગો પોકારવામાં આવી રહી છે ત્યારે વાસ્તવિકતા કઇક જુદા જ દ્રશ્યો બતાવી રહી છે.

Advertisment

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના જસાપર , નાનયાણી, નાના કાંધાસર, સાંગાણી, રાજાવડ, નાની મોરસલ સહીતના ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઇ છે. આ ગામોમાં બોર અને કુવાના પાણી તળીયે ચાલ્યા ગયા છે જેનાં કારણે ઉનાળામાં પાણીના પોકારો શરૂ થઇ ગયાં છે જેને લઇને આ પાંચ ગામોના ૩૦૦ થી વધુ પરિવારો હિજરત કરી આણંદ, નડીયાદ અને ધોળકા તરફ ચાલ્યા ગયાં છે.ગામડામાં હોંશે હોંશે બનાવેલા પાકા મકાનો બંધ કરી માલધારી સમાજના લોકોને અન્ય ગામોમાં રઝળપાટ કરવાની નોબત આવી છે.છેલ્લા ૨૫ વર્ષ કરતા વધુ સમયથી આ સમસ્યા જેમની તેમ છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ છે.

Advertisment
Read the Next Article

ગુજરાતમાં 3300 કરોડના વિકાસકાર્યોનું PM મોદી કરશે ખાતમુહૂર્ત,કચ્છથી લઇ દાહોદ સુધી તડામાર તૈયારીઓ શરૂ

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.પીએમ મોદી આગામી 26, 27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કરશે.

New Update
aa

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.પીએમ મોદી આગામી 26, 27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કરશે.

Advertisment

આ દરમિયાન મોદી 3300 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. આ સાથે આગામી 27 મેના રોજ પ્રધાનમંત્રી ગાંધીનગરમાં મહાત્મા મંદિર જશે. અને શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમામાં સામેલ થઈને 22 હજાર મકાનોની ફાળવણી કરશે. આ સાથે અમદાવાદ-ગાંધીનગર રિવરફ્રંટ ફેઝ-3નું ખાતમુહૂર્ત કરશે.

આ ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રીનો પહેલો ગુજરાત પ્રવાસ છે.તા. 26,27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કરશે.જેમાં ખાસ કરીને અમદાવાદદાહોદભૂજમાં કાર્યક્રમોમાં હાજરી આપશે.26મેના રોજ PM મોદી વડોદરાના મહેમાન બનશે અને અહીં રોડ-શો દ્વારા લોકોનું અભિવાદન ઝીલશે. ત્યાર બાદમાં PM મોદી દાહોદની મુલાકાત લેશે. અહીં દાહોદમાં રેલવે વર્કશોપનું લોકાર્પણ કરશે. આ સાથે દાહોદમાં PM મોદી જનસભાને સંબોધન કરવાના છે.

આ તરફ વડોદરા અને દાહોદ બાદ PM મોદી કચ્છની મુલાકાતે જશે. અહીં ભૂજમાં PM મોદી જાહેરસભાને સંબોધિત કરશે. આ તરફ કચ્છથી અમદાવાદ આવી PM મોદી રોડ-શોમાં સામેલ થશે. આ સાથે 27 મેના રોજ પ્રધાનમંત્રી ગાંધીનગરમાં મહાત્મા મંદિર જશે. અહીં શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમમાં સામેલ થઈને 22 હજાર મકાનોની ફાળવણી કરશે. આ સાથે 3300 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. આ સાથે PM મોદી અમદાવાદ-ગાંધીનગર રિવરફ્રંટ ફેઝ-3નું ખાતમુહૂર્ત કરશે.

Advertisment
Latest Stories