સુરેન્દ્રનગર : કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતા યુ.પી.ના કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી જે.પી.એસ.રાઠોડ રહ્યા ઉપસ્થિત...

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારના શાસનને 9 વર્ષ પૂર્ણ થતા સમગ્ર ગુજરાતમાં પ્રદેશ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે

New Update
સુરેન્દ્રનગર : કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતા યુ.પી.ના કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી જે.પી.એસ.રાઠોડ રહ્યા ઉપસ્થિત...

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારના શાસનને 9 વર્ષ પૂર્ણ થતા સમગ્ર ગુજરાતમાં પ્રદેશ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર ખાતે યુ.પી.ના કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી જે.પી.એસ.રાઠોડે ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારના શાસનને 9 વર્ષ પૂર્ણ થતા સમગ્ર ગુજરાતમાં પ્રદેશ ભાજપ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર ખાતે યુ.પી.ના કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી જે.પી.એસ.રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 9 વર્ષના શાસનમાં થયેલ વિવિધ વિકાસના કામો અને વિકાસલક્ષી યોજનાઓ વિશે ચર્ચા વિચારણા કરી હતી. આ સાથે જ વધુમાં વધુ લોકો દરેક યોજનાનો લાભ લે તે માટે આહવાન કર્યું હતુ. આ ઉપરાંત આગામી લોકસભા 2024ની ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર ભાજપનો જ વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષા દોશી સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories