સુરેન્દ્રનગર : કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતા યુ.પી.ના કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી જે.પી.એસ.રાઠોડ રહ્યા ઉપસ્થિત...

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારના શાસનને 9 વર્ષ પૂર્ણ થતા સમગ્ર ગુજરાતમાં પ્રદેશ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે

New Update
સુરેન્દ્રનગર : કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતા યુ.પી.ના કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી જે.પી.એસ.રાઠોડ રહ્યા ઉપસ્થિત...

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારના શાસનને 9 વર્ષ પૂર્ણ થતા સમગ્ર ગુજરાતમાં પ્રદેશ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર ખાતે યુ.પી.ના કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી જે.પી.એસ.રાઠોડે ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારના શાસનને 9 વર્ષ પૂર્ણ થતા સમગ્ર ગુજરાતમાં પ્રદેશ ભાજપ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર ખાતે યુ.પી.ના કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી જે.પી.એસ.રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 9 વર્ષના શાસનમાં થયેલ વિવિધ વિકાસના કામો અને વિકાસલક્ષી યોજનાઓ વિશે ચર્ચા વિચારણા કરી હતી. આ સાથે જ વધુમાં વધુ લોકો દરેક યોજનાનો લાભ લે તે માટે આહવાન કર્યું હતુ. આ ઉપરાંત આગામી લોકસભા 2024ની ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર ભાજપનો જ વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષા દોશી સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

સુરેન્દ્રનગર : ખેડૂતોના પ્રશ્નો અંગે કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ,રોડ પર ધરણા બાદ કચેરીનો ઘેરાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

New Update

કોંગ્રેસ દ્વારા ખેડૂત પ્રશ્નો અંગે કલેકટર કચેરીનો ઘેરાવ

ખેડુત અધિકાર યાત્રાનું કરાયું આયોજન

રોડ પર ધરણા બાદ કલેક્ટર કચેરીનો ઘેરાવ

ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કરાય માંગ

કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી ઉગ્ર રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.ખેડૂતોના પાક વળતરપ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભઅને પશુપાલકોને પોષણ સમભાવ સહિતની મુખ્ય માંગણીઓ સાથે આ આંદોલન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ખેડૂત આગેવાન વિક્રમ રબારી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા હતા.

આ રેલી સુરેન્દ્રનગરના રાજપટલ પાસે આવેલા આંબેડકર ચોકથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી યોજાઇ હતી. કલેકટર કચેરી પાસે પહોંચીને પ્રદર્શનકારીઓ એ રસ્તા પર બેસીને ધરણાં કર્યા હતા અને સરકાર પર ખેડૂતોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.આંદોલનકારીઓએ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી. જો આગામી સમયમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

Latest Stories