Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે જન્માષ્ટમી નિમિત્તે AHPના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં શોભાયાત્રા યોજાય...

લીંબડી ખાતે જન્માષ્ટમી નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા 40મી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે જન્માષ્ટમી નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા 40મી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે જન્માષ્ટમીના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા ઉપસ્થિત રહ્યા હતા. લીંબડી ખાતે જન્માષ્ટમી નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આયોજિત 40મી શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર કાઢવામાં આવી હતી. આ પ્રસંગે સંતો-મહંતો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

Next Story