સુરેન્દ્રનગર : રાવણનું દહન નહિ પણ રાવણનો કરાય છે "વધ", પાણશીણા ગામે અનોખી ઉજવણી
સુરેન્દ્રનગર જિલ્લાના પાણશીણા ગામ ખાતે અગીયારસના દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે અને તેમાં પણ રાવહ દહનની જગ્યાએ રાવણવધ કરવામાં આવે છે.સમગ્ર દેશમાં દશેરાના દિવસે રાવણ દહન કરવામાં આવે છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાનું પાણશીણા ગામમાં અગીયારસના દિવસે દશેરા ઉજવવામાં આવે છે.રાવણ અને રામ વચ્ચેના યુધ્ધનું દ્રશ્ય ઉભું કરવામાં આવે છે. રામ, લક્ષ્મણ અને રાવણ વચ્ચે લાકડીથી યુધ્ધ ખેલાય છે અને છેલ્લે રાવણનો વધ કરવામાં આવે છે. પાણશીણા ગામ ખાતે આ પરંપરા અંદાજે ૧૦૦ વર્ષ કરતા વધુ સમયથી ચાલી આવે છે.રામ રાવણના યુધ્ધ દરમિયાન ગામના બજારમાં માનવ મહેરામણ ઉમટી પડે છે અને રસ્તાની બન્ને તરફ ઉભેલા લોકો રાવણને મારો રાવણને મારો તેમજ જયશ્રી રામના સુત્રોચ્ચાર કરી રામના સૈન્યને પ્રોત્સાહન પુરુ પાડતા જોવા મળે છે. આ પરંપરાને આજે પણ ગ્રામજનોએ જાળવી રાખી છે જેની પાછળ એક અતિ મહત્વનું કારણ પર્યાવરણને દૂષિત થતુ બચાવવાનુ પણ ગામલોકો જણાવી રહ્યાં છે. જે શહેરોમાં રાવણદહન દરમિયાન મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવતા હોય છે જેના કારણે વાયુ પ્રદૂષણ ફેલાય છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
ભરૂચ:દહેજની ભારત રસાયણ કંપનીના બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ 2 કામદારોના...
19 May 2022 11:06 AM GMTભરૂચ જિલ્લા અંધજન મંડળનું ઉત્તમ કાર્ય, પ્રજ્ઞાચક્ષુઓને રોજગારી માટે...
19 May 2022 10:41 AM GMTવડોદરા: સરકારી પેરા મેડિકલ પ્રવેશપ્રક્રિયામાં ફિજીયોથેરાપીની સરકારી...
19 May 2022 10:30 AM GMTતાપી : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકોને પાણી પહોચાડવા માટે ડોસવાડા...
19 May 2022 9:17 AM GMTઅમદાવાદ: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે આલાપ્યો...
19 May 2022 9:04 AM GMT