સુરેન્દ્રનગર : કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રામરાસ મધમાખી ઉછેર કેન્દ્રની લીધી મુલાકાત,મધ ઉત્પાદન અંગે મેળવ્યું માર્ગદર્શન

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ભરત ડેઢાણીયા મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવે છે, જે કેન્દ્રની આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ મુલાકાત લીધી હતી.

New Update
  • રામરાસ મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લેતા વિદ્યાર્થીઓ

  • આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મેળવ્યું માર્ગદર્શન

  • મધમાખીનું જમીન પર મહત્વ વિશે માહિતી મેળવી

  • ફ્લેવર્સ યુક્ત મધના ઉત્પાદન અંગે રસપ્રદ માહિતી આપવામાં આવી

  • ફ્લેવર્સ મધના શું ફાયદા છે તે વિશે આપવામાં આવ્યું માર્ગદર્શન

Advertisment

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ભરત ડેઢાણીયા મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવે છેજે કેન્દ્રની આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ મુલાકાત લીધી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ભરત ડેઢાણીયા મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવે છે.આ કેન્દ્રની આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી હતી.કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મધમાખી વિશે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓને વધુ માર્ગદર્શન આપતા ખેડૂત ભરત ડેઢાણીયાએ જણાવ્યું હતું કે વરિયાળીતલ,સરગવોઅજમોબાવળજેવા વિવિધ ફ્લેવરના મધનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરી શકો છો,વિદ્યાર્થીઓને મધમાખી માટેના વિવિધ પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા હતા.સાથે  મધમાખીનું શું મહત્વ છે તેના ફાયદા વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓએ મધમાખી કેવી રીતે મધ આપે છે,  મધમાખીનું જમીન અને વાતાવરણમાં શું મહત્વ છે.તેના થકી કેવું મધ ઉત્પાદન મેળવી શકીએ છીએ તેમજ મધ ખાવાથી શું ફાયદા છે,અલગ અલગ ફ્લેવરના મધ લોકોને શું કામ આવે છે.જેમ કે અજમા ના ફ્લેવરનાં મધથી શરદી ઉધરસ મટી શકે છે,તેમજ બાવળ અને સરગવાના ફ્લેવરના મધથી સાંધાના દુખાવા દૂર થાય છે અને વરિયાળીના ફ્લેવરથી ઠંડક મળે છે.તે બધી માહિતી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.

 

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment