સુરેન્દ્રનગર : કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રામરાસ મધમાખી ઉછેર કેન્દ્રની લીધી મુલાકાત,મધ ઉત્પાદન અંગે મેળવ્યું માર્ગદર્શન

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ભરત ડેઢાણીયા મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવે છે, જે કેન્દ્રની આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ મુલાકાત લીધી હતી.

New Update
  • રામરાસ મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લેતા વિદ્યાર્થીઓ

  • આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મેળવ્યું માર્ગદર્શન

  • મધમાખીનું જમીન પર મહત્વ વિશે માહિતી મેળવી

  • ફ્લેવર્સ યુક્ત મધના ઉત્પાદન અંગે રસપ્રદ માહિતી આપવામાં આવી

  • ફ્લેવર્સ મધના શું ફાયદા છે તે વિશે આપવામાં આવ્યું માર્ગદર્શન

Advertisment W3.CSS

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ભરત ડેઢાણીયા મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવે છેજે કેન્દ્રની આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ મુલાકાત લીધી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ભરત ડેઢાણીયા મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવે છે.આ કેન્દ્રની આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી હતી.કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મધમાખી વિશે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓને વધુ માર્ગદર્શન આપતા ખેડૂત ભરત ડેઢાણીયાએ જણાવ્યું હતું કે વરિયાળીતલ,સરગવોઅજમોબાવળજેવા વિવિધ ફ્લેવરના મધનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરી શકો છો,વિદ્યાર્થીઓને મધમાખી માટેના વિવિધ પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા હતા.સાથે  મધમાખીનું શું મહત્વ છે તેના ફાયદા વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓએ મધમાખી કેવી રીતે મધ આપે છે,  મધમાખીનું જમીન અને વાતાવરણમાં શું મહત્વ છે.તેના થકી કેવું મધ ઉત્પાદન મેળવી શકીએ છીએ તેમજ મધ ખાવાથી શું ફાયદા છે,અલગ અલગ ફ્લેવરના મધ લોકોને શું કામ આવે છે.જેમ કે અજમા ના ફ્લેવરનાં મધથી શરદી ઉધરસ મટી શકે છે,તેમજ બાવળ અને સરગવાના ફ્લેવરના મધથી સાંધાના દુખાવા દૂર થાય છે અને વરિયાળીના ફ્લેવરથી ઠંડક મળે છે.તે બધી માહિતી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.

 

Read the Next Article

ગુજરાતનાં આ શહેરોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા,વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી

પવન સાથે વરસાદ તુટી પડતાં અસહ્ય ગરમીમાં રાહત મળી ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા ગીરના નાની ધારી, લાસા, ધાવડીયા સહિત ગામોમાં ધોધમાર વરસ્યો

New Update
varsad News

ગુજરાતના અનેક શહેરોમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. પવન સાથે વરસાદ તુટી પડતાં અસહ્ય ગરમીમાં રાહત મળી ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા ગીરના નાની ધારી, લાસા, ધાવડીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાઈક વરસાદ પડતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો.  

Advertisment W3.CSS

બીજી તરફ બોટાદના ગઢડા તાલુકાના ઢસાગામે શરૂ વરસાદ થયો હતો. સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઉનાળાની અસહ્ય ગરમી બાદ વરસાદ શરૂ થયો હતો. ઢસા, માલપરા, ઉમરડા, પાટના સહિતના ગામોમાં વરસાદ શરૂ હતો. રાજકોટ જિલ્લાના લોધિકા ખાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ હતો. વરસાદના કારણે ગામમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમી માંથી રાહત મળી હતી.