સુરેન્દ્રનગર :  તરબૂચ અને ટેટીની ખેતી કરી ચુડા તાલુકાના ચાચકા ગામના યુવા ખેડૂતો બન્યા આર્થિક રીતે પગભર

ચાચકા ગામના યુવા ખેડૂત રાણા મહિપાલસિંહ અને રાણા મહેન્દ્રસિંહ તરબૂચ અને ટેટી જેવા બાગાયતી પાકોની ખેતીમાં અથાગ મહેનત કરીને સારો એવો નફો મેળવી સમગ્ર પંથકના ખેડૂતોનું ધ્યાન ખેંચ્યું

New Update
  • યુવા ખેડૂતની બાગાયતી પાકમાં સફળતા

  • તરબૂચ અને ટેટીની ખેતીમાં મેળવી સફળતા

  • ખેત પદ્ધતિમાં બદલાવથી મળ્યો આર્થિક લાભ

  • ટૂંકા ગાળામાં જ મળ્યો આર્થિક લાભ

  • અન્ય ખેડૂતો માટે યુવા ખેડૂત બન્યા પ્રેરણારૂપ 

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચાચકા ગામના યુવા ખેડૂત રાણા મહિપાલસિંહ અને રાણા મહેન્દ્રસિંહ તરબૂચ અને ટેટી જેવા બાગાયતી પાકોની ખેતીમાં અથાગ મહેનત કરીને સારો એવો નફો મેળવી સમગ્ર પંથકના ખેડૂતોનું ધ્યાન ખેંચ્યું છે.

બાગાયતી પાકોની ખેતીમાં મળેલી સફળતા અંગેની વાત કરતા રાણા મહિપાલસિંહ નિવૃત્ત આર્મી જવાન છે.આર્મીમાંથી રિટાયર્ડ થયા બાદ રોજગારી માટેના નવા વિકલ્પોની શોધ કરી હતી. જેમાં સુરેન્દ્રનગર બાગાયતી વિભાગમાં તરબૂચ અને ટેટી જેવા પાકોની ખેતી વિશેની સંપૂર્ણ જાણકારી મેળવીને છેલ્લા ત્રણ વર્ષથી તરબૂચ અને ટેટીની બાગાયતી ખેતી કરે છે.

ખેડૂતો દ્વારા કપાસ,બાજરોઘઉં,તલજીરું જેવા પરંપરાગત પાકોની ખેતી થતી હતી. પરંતુ મહિપાલસિંહે આ ખેત પદ્ધતિમાં બદલાવ કરી આધુનિક ઢબે તરબૂચટેટીની ખેતી કરવાનું નક્કી કર્યું હતું. અને આશરે 10 વીઘામાં ટેટી અને ૨૦ વીઘામાં તરબૂચનું વાવેતર કર્યું છે. તરબૂચ અને ટેટીએ ખૂબ જ ટૂંકા સમયગાળાનો પાક છે. માત્ર ત્રણ માસ જેટલા ટૂંકા સમયમાં મહેનત કરી તેમાંથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. જો વાતાવરણ સારું રહે તો વીઘે અંદાજે રૂપિયા 70થી 80 હજારનું વળતર મળી શકે છે.

જ્યારે બીજા પ્રગતિશીલ યુવા ખેડૂત રાણા મહેન્દ્રસિંહ પણ છેલ્લા 15 વર્ષથી કપાસતલજીરુંવરિયાળીચણા જેવા પાકોની ખેતી કરે છે.પરંતુ હાલમાં આશરે 10 વીઘામાં ટેટી અને 20 વીઘામાં તરબૂચનું વાવેતર કર્યું છે. જેમાં તેઓને ઓછી મહેનતે વધુ નફો મળે છે. માત્ર ત્રણ મહિનાની ખેતીમાં વીઘે રૂપિયા 60થી 70 હજારનો નફો થાય છે. આ ઉપરાંત બાગાયતી પાકોમાં સબસીડી પણ ખૂબ જ વધારે મળે છે.

મદદનીશ બાગાયત નિયામક વિજય કાલરીયાએ જણાવ્યું હતું કેપરંપરાગત ખેતી કરતા શાકભાજીફળ પાકોની ખેતીમાં ઓછા સમયમાં વધુ નફો મળે છે. જેનાથી ખેડૂત મિત્રોનું જીવન ધોરણ પણ ઉંચુ આવે છે. હાલમાં જ બાગાયત વિભાગ તરફથી અલગ-અલગ પ્રકારની સહાય યોજનાઓ માટેનું આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું છે. જેનો તમામ ખેડૂત મિત્રોને લાભ લેવા અનુરોધ પણ તેઓ કરી રહ્યા છે.

Read the Next Article

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, ગુજરાતના 6 જિલ્લાઓમાં ધોધમાર વરસાદની કરાઈ આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.  ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ

New Update
rain in mumbai

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. 

હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના 6 જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.  મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે પણ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 25 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરી છે. આ સિવાય ગુજરાતમાં 30 જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે. જાણીએ ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.