સુરેન્દ્રનગર: રાજાવાડ ગામના 4 દિવસથી ગુમ યુવાન સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો, હત્યાની આશંકા

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રાજાવાડ ગામે ચાર દિવસથી ઘરેથી ગુમ યુવકની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update
સુરેન્દ્રનગર: રાજાવાડ ગામના 4 દિવસથી ગુમ યુવાન સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો, હત્યાની આશંકા

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રાજાવાડ ગામે ચાર દિવસથી ઘરેથી ગુમ યુવકની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રાજાવાડ ગામનો યુવાન ચારેક દિવસ ઘરેથી ગુમ હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમાં યુવાનની લાશ શંકાસ્પદ હાલતમાં હોવાથી પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આ યુવાનની લાશને પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવશે તેવું કહેવાય રહ્યું છે.ત્યારે ચોટીલા તાલુકાના રાજાવાડ ગામનો યુવાન દિલીપ વાઘેલા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ફોરેન્સિક રિપોર્ટ બાદ સત્ય બહાર આવશે કે આ યુવાનની હત્યા થઇ છે કે આત્મહત્યા. ત્યારે ચોટીલા તાલુકાના રાજાવાડ ગામે ચાર દિવસથી ઘરેથી ગુમ યુવકની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.આ ઘટનાના પગલે હત્યાની આશંકાએ દલિત સમાજે હાઈવે ચક્કજામ કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ચોટીલા દોડી ગયો હતો.

Latest Stories