નવસારી : ચીખલીના સુરખાઈ ગામે સૌપ્રથમ વાર ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેરનો પ્રારંભ કરાયો…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ખાતે સૌપ્રથમ વાર ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેરનો રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો. કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો છે.

New Update
  • ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ખાતે આયોજન

  • સૌપ્રથમ વાર ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેર યોજાયો

  • યુવાઓને વિવિધ એકમો દ્વારા માર્ગદર્શન અપાયું

  • શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોર રહ્યા વિશેષ ઉપસ્થિત

  • પ્રાચીન સંસ્કૃતિ અંતર્ગત વિવિધ નૃત્ય રજૂ કરાયા

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ખાતે સૌપ્રથમ વાર ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેરનો રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો. કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો છે.

નવસારી જિલ્લામાં ટ્રાયબલ વિસ્તારના આદિવાસી યુવાનો સ્કીલ બેઝ વ્યવસાયિક સફળતા મેળવવા સાથે નોકરીની વિપુલ તકોનો લાભ લે તેમજ ઉદ્યોગ-ધંધા શરૂ કરવા માટે ક્યાંથી શરૂઆત કરે તેવા પ્રશ્નોના જવાબ માટે ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ખાતે સૌપ્રથમ વાર ત્રિદિવસીય ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો. કુબેર ડિંડોર તેમજ વલસાડના સાંસદ ધવલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સરકારના વિવિધ એકમો દ્વારા માર્ગદર્શન માટે ખેતીવાડીબાગાયતી પ્રાકૃતિક ખેતીજિલ્લા ઉદ્યોગ કેન્દ્રઆદિજાતિ વિભાગશ્રમ અને રોજગાર વિભાગબેન્કના બોર્ડ વગેરે એકમોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નાણાકીય જોગવાઈ કેવી રીતે મેળવી શકાયવ્યાપાર ધંધામાં આગળ વધવા માટે આયોજનમાર્ગદર્શન અને તાલીમ પણ આપવાની શરૂઆત થઈ છે. આદિવાસી સમાજની પ્રાચીન સંસ્કૃતિ અંતર્ગત વિવિધ સંસ્કૃતિને આધીન ઘેરૈયા નૃત્યમાદળનૃત્યતારપા નૃત્યકાહળીતુર તેમજ ડાંગી નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યા હતા.

Read the Next Article

વલસાડ : ધરમપુરમાં પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ

ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.

New Update
  • પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ

  • ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી

  • ડેમ બનવાથી આદિવાસી વિસ્તારો થશે ખાલી 

  • રાજ્યભરમાંથી આદિવાસી સમાજના યુવાનો જોડાયા

  • MLA અનંત પટેલઅમિત ચાવડા પણ રેલીમાં જોડાયા

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં જનઆક્રોશ રેલી યોજાઈ હતી. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ હતી.આ રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલકોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અનેક સ્થાનિક આગેવાનો પણ રેલીમાં જોડાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પારતાપી અને નર્મદાએ ત્રણેય નદીના નામ છે. એટલે આ પ્રોજેક્ટનું નામ છે પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ. પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટમાં કુલ 9 ડેમ બનાવવાની જોગવાઈ છે. જેમાં એક ઝરી ડેમ છે જે મહારાષ્ટ્ર-ગુજરાતની બોર્ડર પાસે નાસિકમાં બનશે. તેમાં 7 ગામના લોકોને અસર થશે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં મોહના કાવચડી ડેમ બનવાનો છે. જેમાં 12 ગામના લોકોને અસર થશે. ધરમપુર તાલુકાના પૈખેડ ડેમમાં 13 ગામ જશે.જ્યારે ધરમપુર તાલુકાના ચાસમાંડવા ડેમમાં 14 ગામ જશે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ચિકાર ડેમ બનવાનો છેજેમાં 12 ગામ જશે. વઘઇ તાલુકાના ડાબદર ડેમમાં 18 ગામ જશે અને તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેળવણ ડેમમાં 23 ગામ જશે. એટલે આ પાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ થકી કુલ 118થી પણ વધારે ગામ અને તેની આસપાસના ગામડાના અંદાજે પાંચ લાખથી પણ વધારે લોકોને ગામ ખાલી કરીને બીજે વિસ્થાપિત થવું પડે તેમ છે. જ્યાં આ ડેમ બનવાના છે અને ગામો ખાલી કરવાના છે તે મોટાભાગે આદિવાસી વિસ્તાર છે.

DPR મુજબ સરકાર આ ડેમોનું પાણી મુંબઈ,સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઈ જવા માંગે છે. ભવિષ્યમાં મુંબઈની વસ્તીને પાણી પહોંચી શકે એટલા માટે ત્યાં અત્યારથી પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે. આ પંથકના આદિવાસીઓ કહે છે કે કોઈને પાણી મળે તેનાથી અમને કોઈ વાંધો નથી પરંતુ આદિવાસીઓનો વિનાશ કરીને વિકાસ નહીં થવા દઈએ.

2022માં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કેપાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ રદ કરવામાં આવે છે. ત્યારથી આ પ્રોજેક્ટને લઈને શાંતિનો માહોલ હતો. પરંતુ થોડા દિવસ પહેલા મીડિયામાં સમાચાર આવ્યા કે લોકસભામાં આ પ્રોજેકટનોDPR રજૂ થયો છેએટલે ફરી આ પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે.