નવસારી : ચીખલીના સુરખાઈ ગામે સૌપ્રથમ વાર ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેરનો પ્રારંભ કરાયો…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ખાતે સૌપ્રથમ વાર ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેરનો રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો. કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો છે.

New Update
  • ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ખાતે આયોજન

  • સૌપ્રથમ વાર ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેર યોજાયો

  • યુવાઓને વિવિધ એકમો દ્વારા માર્ગદર્શન અપાયું

  • શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોર રહ્યા વિશેષ ઉપસ્થિત

  • પ્રાચીન સંસ્કૃતિ અંતર્ગત વિવિધ નૃત્ય રજૂ કરાયા

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ખાતે સૌપ્રથમ વાર ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેરનો રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો. કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો છે.

નવસારી જિલ્લામાં ટ્રાયબલ વિસ્તારના આદિવાસી યુવાનો સ્કીલ બેઝ વ્યવસાયિક સફળતા મેળવવા સાથે નોકરીની વિપુલ તકોનો લાભ લે તેમજ ઉદ્યોગ-ધંધા શરૂ કરવા માટે ક્યાંથી શરૂઆત કરે તેવા પ્રશ્નોના જવાબ માટે ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ખાતે સૌપ્રથમ વાર ત્રિદિવસીય ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો. કુબેર ડિંડોર તેમજ વલસાડના સાંસદ ધવલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સરકારના વિવિધ એકમો દ્વારા માર્ગદર્શન માટે ખેતીવાડીબાગાયતી પ્રાકૃતિક ખેતીજિલ્લા ઉદ્યોગ કેન્દ્રઆદિજાતિ વિભાગશ્રમ અને રોજગાર વિભાગબેન્કના બોર્ડ વગેરે એકમોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નાણાકીય જોગવાઈ કેવી રીતે મેળવી શકાયવ્યાપાર ધંધામાં આગળ વધવા માટે આયોજનમાર્ગદર્શન અને તાલીમ પણ આપવાની શરૂઆત થઈ છે. આદિવાસી સમાજની પ્રાચીન સંસ્કૃતિ અંતર્ગત વિવિધ સંસ્કૃતિને આધીન ઘેરૈયા નૃત્યમાદળનૃત્યતારપા નૃત્યકાહળીતુર તેમજ ડાંગી નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યા હતા.

Read the Next Article

આદિપુરથી અંજાર તરફ જતાં રોડ પર કિશોરી પર દુસ્કર્મ કરવાના બનાવમાં બે આરોપીઓની કરાઇ ધરપકડ

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા. 

New Update
aadipur

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા.  ત્યારે રસ્તામાં બે અજાણ્યા ઇસમોએ તેને આંતરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની ધમકી આપી હતી.

બાદ, તેમાંથી એક આરોપી પોલીસ સ્ટેશનમાં લઈ જવાના બહાને કિશોરીને મોપેડમાં બેસાડી અપહરણ કરી, રસ્તામાં કોઇ ટેકરા જેવી જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં દુસ્કર્મ આચરવામાં આવ્યુ હતુ ઘટના બાદ પીડિતાએ પરિવારજનોને જાણ કરતાં પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરતાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં મહેશ ઉર્ફે ડાભલો  મોતીભાઈ કોલી, સંદીપભાઈ ઘનશ્યામગર ગુસાઈ ની ધરપકડ કરવામાં આવી છે.