તાપી : સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના અધ્યક્ષસ્થાને વાર્ષિક નિરીક્ષણ-લોક દરબાર યોજાયો...

તાપી જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષકના અધ્યક્ષ સ્થાને વાર્ષિક નિરીક્ષણ અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે કરાયું આયોજન

  • સુરત રેન્જIGના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન

  • વાર્ષિક નિરીક્ષણ સહિત લોક દરબારનું આયોજન

  • લોક દરબારમાં સ્થાનિકોની વિવિધ મુદ્દે રજૂઆત

  • જિલ્લા પોલીસવડા રાહુલ પટેલ રહ્યા ઉપસ્થિત

તાપી જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષકના અધ્યક્ષ સ્થાને વાર્ષિક નિરીક્ષણ અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાપી જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના અધ્યક્ષ સ્થાને વાર્ષિક નિરીક્ષણ અને લોક દરબાર યોજાયો હતો. તાપી જિલ્લા પોલીસવડા રાહુલ પટેલ દ્વારા સૌનો આવકાર આપી લોક દરબારની માહિતી આપવામાં આવી હતી. લોક દરબારમાં સ્થાનિકોએ અવાજ પ્રદુષણટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા સહિતના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. રેન્જIG પ્રેમવીરસિંહએ સાઇબર ક્રાઇમ સહિત વ્યાજખોરો પર અંકુશ અને જરૂરી મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. હાલના સમયમાં સાયબર ક્રાઇમમાં વધારો થઈ રહ્યો હોયજેને લઈ લોકોએ પણ જાગૃત થવા તેમજ લોભામણી જાહેરાતોથી દૂર રહેવા માટે રેન્જIGએ જણાવ્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.