તાપી : કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું ...

New Update
  • કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આયોજન

  • જિલ્લામાં વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું

  • ધારાસભ્ય કાર્યલયનું લોકાર્પણજળ સંચયના કામોનો પણ શુભારંભ

  • બાલકૃષ્ણ ટેકસટાઇલ પાર્ક ખાતે વોટર હાર્વેસ્ટિંગના કામનું ખાતમૂહુર્ત

  • જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યલય બાંધકામના કામનું ખાતમુર્હુત કરાયું

તાપી જિલ્લામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

તાપી જિલ્લાના ઉચ્છલસોનગઢ અને વ્યારા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ઉચ્છલ ખાતે ધારાસભ્યના કાર્યલયનું લોકાર્પણજળ સંચયના કામોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સોનગઢના બાલકૃષ્ણ ટેકસટાઇલ પાર્ક ખાતે વોટર હાર્વેસ્ટિંગના કામનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

સાથે જ વ્યારા ખાતે જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યલયના બાંધકામ માટેના કામનું ખાતમુર્હુત પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જાહેર સભાને સંબોધન કરવા સાથે કાર્યકરોને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.

વધુમાં તેઓએ જળ સંચય યોજના અંગે લોકોને વિસ્તૃત સમજણ આપી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી કુંવરજી હળપતિમુકેશ પટેલતાપી જિલ્લા ભાજપના હોદ્દેદારો અને ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.