બનાસકાંઠા : ધનપુરા નજીકથી કારમાં સળગેલી હાલતમાં મળેલ મૃતદેહનો મામલો, માસ્ટર માઈન્ડના ક્રાઈમ પ્લાનનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો...

વડગામ તાલુકાના ધનપુરા નજીકથી કારમાં સળગેલી હાલતમાં મળેલ મૃતદેહ મામલે માસ્ટર માઈન્ડના ક્રાઈમ પ્લાનનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો

New Update
  • ધનપુરા નજીકથી કારમાં મળેલ મૃતદેહનો મામલો

  • સળગેલી હાલતમાં મળ્યો હતો પોલીસને મૃતદેહ

  • માસ્ટર માઈન્ડના ક્રાઈમ પ્લાનનો ભેદ પોલીસે ઉકેલ્યો

  • વીમાના રૂપિયા પરિવારને મળે તેવો માસ્ટર પ્લાન ઘડ્યો

  • પોતાની હોટલમાં કામ કરતાં યુવકની કરી હતી હત્યા

Advertisment

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધનપુરા નજીકથી કારમાં સળગેલી હાલતમાં મળેલ મૃતદેહ મામલે માસ્ટર માઈન્ડના ક્રાઈમ પ્લાનનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે.

ગત તા. 27 ડિસેમ્બર-2024ના રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધનપુરા નજીકથી કારમાં સળગેલી હાલતમાં એક મૃતદેહ મળ્યો હતો. જે બાબતની પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા સમગ્ર મામલે ઢેલાણા ગામના ભગવાનસિંહ પરમારે પોતાનો વીમો પકવવા અને દેવુ ભરપાઈ થઈ જાય તે માટે ક્રાઈમ પ્લાન ઘડ્યો હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે 5 સાગરીતોની ધરપકડ કરી રિમાન્ડ મેળવતા ભગવાનસિંહ પરમાર સાથે તેઓએ પહેલા ઢેલાણા ગામના સ્મશાનમાંથી એક મૃતદેહ બહાર કાઢ્યો હતોતેમાં સફળતા ન મળતા તે મૃતદેહને અન્ય જગ્યાએ લઈ જઈને સળગાવી દીધો હતો.

તે બાદ અન્ય એક મૃતદેહ બહાર કાઢીને તેને પણ ફરી દાટી દીધો હતોઅને ત્યારબાદ ભગવાનસિંહ પરમારની હોટલમાં કામ કરતા યુવક રેવા ગામતીની હત્યા કરી સળગાવી દીધાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. એટલું જ નહીંમૃતદેહને કારમાં મુકીને કાર સાથે જ સળગાવી દઈ સમગ્ર મામલાને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી.

Advertisment
Read the Next Article

ભાવનગર : કમોસમી વરસાદ અને ડુંગળીનાં ભાવ તળિયે જતા ધરતીપુત્રોની હાલત દયનીય બની,ખેડૂતે કર્યો કસ્તુરી સમાન પાકનો નાશ

મહુવા સફેદ ડુંગળીનું પીઠું ગણવામાં આવે છે.પરંતુ હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ નહિ મળવાથી ડુંગળીના પાક પર ખેડૂત દ્વારા રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો

New Update
  • મહુવામાં ખેડૂતોને પડતા પર પાટુ

  • સફેદ ડુંગળીના ભાવ નીચા મળતા નિરાશા

  • કમોસમી વરસાદે પણ ખેડૂતોની મુશ્કેલી વધારી

  • ખેડૂતે રોટવેટર ફેરવીને ડુંગળીનો કર્યો નાશ

  • સરકાર પાસે પોષણક્ષમ ભાવ માટે કરી માંગ

Advertisment

ભાવનગર જિલ્લો ડુંગળી ઉત્પાદનનું મોટું હબ ગણાય છે.જેમાં ખાસ કરીને મહુવા સફેદ ડુંગળીનું પીઠું ગણવામાં આવે છે. પરંતુ હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ નહિ મળવાથી ડુંગળીના પાક પર ખેડૂત દ્વારા રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો હતો.જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ભાવનગર જિલ્લામાં તળાજા,મહુવાગારીયાધાર,સાથે રાજુલા સહિતના વિસ્તારમાં ડુંગળી ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે.જ્યારે મહુવા પંથક અને આસપાસના વિસ્તારમાં સફેદ ડુંગળીનું ઉત્પાદન વધારે કરવામાં આવે છે. તેમજ મહુવામાં ડિહાઇડ્રેશન પ્લાન પુષ્કળ હોવા થી મહુવા માર્કેટિંગ યાર્ડમાં અનેક ખેડૂતો ડુંગળી વેચવા આવતા હોય છે. પરંતુ તાજેતરમાં ડુંગળીની આવક મોટા પ્રમાણમાં થઈ છે.પરંતુ ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.

જેને લઈને મહુવાના ઉગલવાણ ગામમાં ખેડૂતોએ સફેદ ડુંગળીના બસોથી ત્રણ સો વિઘાના ડુંગળીના ઉભા પાક પર રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યા છે. જેમાં એક ખેડૂત નો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સતત ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે 1 લાખ 75 હજાર ગુણીની આવક થઇ છે. પરંતુ ગરીબોની કસ્તુરી નો ભાવ પાણી ભાવે અને પડ્યા ઉપર પાટુ પડે એમ હરાજી બોલાઈ છે. ત્યારે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી મહુવા પંથકમાં સફેદ અને લાલ એમ બે વકલમાં તૈયાર થાય છે.મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળીનો ભાવ એક કિલોના 60 પૈસા થી ઉંચો ભાવ 8.95 ભાવ રહ્યો છે.જે ખેડૂતોને બિયારણના ભાવ કરતા પણ ઓછો છે.

મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ સતત નીચા જતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો સમય જોવા મળ્યો છે.અને કમોસમી વરસાદ અને બીજી બાજુ ડુંગળીના ભાવ તળિયે જતા મહુવા માર્કેટીંગ યાર્ડમાં આજરોજ 1 મણનો નીચો ભાવ રૂપિયા 12 થી ઉંચો ભાવ રૂપિયા 170 મળ્યો હતો. જેને લીધે ડુંગળીના ભાવ ખેડૂતની પરેશાનીમાં વધારો કરી રહ્યા છે.

Advertisment