ભારતના કૃષિ બજારમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે લોન્ચ કરેલું ઈ-નામ પોર્ટલ ખેડૂતો માટે બન્યું આશીર્વાદરૂપ

ભારતના કૃષિ બજારમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે 2016માં કેન્દ્ર સરકારે ઈ-નામ પોર્ટલ લોન્ચ કર્યું  હતું.આ પોર્ટલનો લાભ ગુજરાતના લાખો ખેડૂતો લઈ રહ્યા છે.

New Update
  • કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું હતું ઈ-નામ પોર્ટલ

  • ઈ-નામ પોર્ટલ ખેડૂત માટે બન્યું આશીર્વાદરૂપ

  • ગુજરાતના લાખો ખેડૂતો પોર્ટલનો લઇ રહ્યા છે લાભ

  • ખેડૂતોને પોર્ટલથી વિશાળ બજારનો મળી રહ્યો છે લાભ

  • ઓનલાઇન વેચાણના પગલે પરિવહન ખર્ચમાં થયો ઘટાડો  

ભારતના કૃષિ બજારમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે 2016માં કેન્દ્ર સરકારે ઈ-નામ પોર્ટલ લોન્ચ કર્યું  હતું.આ પોર્ટલનો લાભ ગુજરાતના લાખો ખેડૂતો લઈ રહ્યા છે.આ પોર્ટલના પરિણામે ખેડૂતોને વિશાળ બજારનો લાભ મળી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ભારત સરકાર દ્વારા કૃષિ બજારમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2016માં ઈ-નામ પોર્ટલ લોન્ચ કર્યું હતું,આ પોર્ટલે ખેડૂતો અને વેપારીઓ માટે આધુનિક અને પારદર્શક માર્કેટયાર્ડની વ્યવસ્થા ઉભી કરી છે. આ વ્યવસ્થાથી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થઈ રહી છે.ઈ-નામ પોર્ટલથી ખેડૂતોને સીધો લાભ થઈ રહ્યો છે.

ભાવનગરના કિશોર ચૌહાણનું કહેવું છે કે ઓનલાઈન વેચાણથી તેમની આવકમાં વૃદ્ધિ થઈ છે. જ્યારે ખેડૂત મનસુખભાઈ કહે છે કે ઈ-નામ પોર્ટલથી વેચાણના કારણે ખર્ચ ઘટ્યો છે,અને નફો વધ્યો છે.ઈ-નામ પોર્ટલથી ખેડૂતો સાથે વેપારીઓને પણ લાભ થઈ રહ્યો છે. વેપારી હર્ષદભાઈ સોલંકી કહે છે કે ઈ-નામ પોર્ટલથી ઓનલાઇન વેચાણના પગલે પરિવહન ખર્ચમાં ઘટાડો થયો છે.જ્યારે ઈ-નામ પોર્ટલએ ભારતીય કૃષિમાં ડિજિટલ ક્રાંતિ લાવી રહ્યું છે.આ પોર્ટલ ભારતના કૃષિ બજારને વધુ કાર્યક્ષમ,પારદર્શક અને નફાકારક બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.

 

Read the Next Article

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે રૂ.5 લાખનો ગેસનો જથ્થો સગેવગે કરનાર ટેન્કર ચાલકની કરી ધરપકડ, એક વર્ષથી હતો ફરાર

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે  BPCL રીફાઇનરી કોચીન (કેરળ) ખાતેથી ટેન્કરમાં પ્રોપલીન ગેસ ભરી,દહેજ નજીક દીપક ફર્ટીલાઇઝર કંપનીમાં ખાલી કરવા

New Update
ser bha
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે  BPCL રીફાઇનરી કોચીન (કેરળ) ખાતેથી ટેન્કરમાં પ્રોપલીન ગેસ ભરી,દહેજ નજીક દીપક ફર્ટીલાઇઝર કંપનીમાં ખાલી કરવા જતા પહેલા રસ્તામાં કોઇક જગ્યાએ સાડા પાંચ લાખથી વધુનો ગેસનો જથ્થો સગેવગે કરનાર ડ્રાઇવર આરોપી મોહમંદ સકીલ ગુલ હસન છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો છે અને હાલ તે સુરતના હજીરા ખાતે જોવામાં આવ્યો છે.આ આરોપીનું  વાગરા કોર્ટ દ્વારા ક્રીમીનલ પ્રોસીજર કોડની સલંગ્ન કલમ મુજબનુ ધરપકડ વોરન્ટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે જેથી એલ.સી.બી.ટીમે સુરતના હજીરામાં આવેલ L&T કંપનીમાંથી આરોપી મહંમદ સકિલની ધરપકડ કરી તેને દહેજ મરીન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.