ભારતના કૃષિ બજારમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે લોન્ચ કરેલું ઈ-નામ પોર્ટલ ખેડૂતો માટે બન્યું આશીર્વાદરૂપ

ભારતના કૃષિ બજારમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે 2016માં કેન્દ્ર સરકારે ઈ-નામ પોર્ટલ લોન્ચ કર્યું  હતું.આ પોર્ટલનો લાભ ગુજરાતના લાખો ખેડૂતો લઈ રહ્યા છે.

New Update
  • કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું હતું ઈ-નામ પોર્ટલ

  • ઈ-નામ પોર્ટલ ખેડૂત માટે બન્યું આશીર્વાદરૂપ

  • ગુજરાતના લાખો ખેડૂતો પોર્ટલનો લઇ રહ્યા છે લાભ

  • ખેડૂતોને પોર્ટલથી વિશાળ બજારનો મળી રહ્યો છે લાભ

  • ઓનલાઇન વેચાણના પગલે પરિવહન ખર્ચમાં થયો ઘટાડો  

ભારતના કૃષિ બજારમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે 2016માં કેન્દ્ર સરકારે ઈ-નામ પોર્ટલ લોન્ચ કર્યું  હતું.આ પોર્ટલનો લાભ ગુજરાતના લાખો ખેડૂતો લઈ રહ્યા છે.આ પોર્ટલના પરિણામે ખેડૂતોને વિશાળ બજારનો લાભ મળી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ભારત સરકાર દ્વારા કૃષિ બજારમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2016માં ઈ-નામ પોર્ટલ લોન્ચ કર્યું હતું,આ પોર્ટલે ખેડૂતો અને વેપારીઓ માટે આધુનિક અને પારદર્શક માર્કેટયાર્ડની વ્યવસ્થા ઉભી કરી છે. આ વ્યવસ્થાથી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થઈ રહી છે.ઈ-નામ પોર્ટલથી ખેડૂતોને સીધો લાભ થઈ રહ્યો છે.

ભાવનગરના કિશોર ચૌહાણનું કહેવું છે કે ઓનલાઈન વેચાણથી તેમની આવકમાં વૃદ્ધિ થઈ છે. જ્યારે ખેડૂત મનસુખભાઈ કહે છે કે ઈ-નામ પોર્ટલથી વેચાણના કારણે ખર્ચ ઘટ્યો છે,અને નફો વધ્યો છે.ઈ-નામ પોર્ટલથી ખેડૂતો સાથે વેપારીઓને પણ લાભ થઈ રહ્યો છે. વેપારી હર્ષદભાઈ સોલંકી કહે છે કે ઈ-નામ પોર્ટલથી ઓનલાઇન વેચાણના પગલે પરિવહન ખર્ચમાં ઘટાડો થયો છે.જ્યારે ઈ-નામ પોર્ટલએ ભારતીય કૃષિમાં ડિજિટલ ક્રાંતિ લાવી રહ્યું છે.આ પોર્ટલ ભારતના કૃષિ બજારને વધુ કાર્યક્ષમ,પારદર્શક અને નફાકારક બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.