શ્રાવણ મહિનાના પ્રારંભ પ્રસંગે જ સોમનાથ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓનું સેટલમેન્ટના મુદ્દે વિરોધ પ્રદર્શન

શ્રાવણ માસના પ્રારંભ સમયે જ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના કમર્ચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે,

New Update

શ્રાવણ માસના પ્રારંભ સમયે જસોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના કમર્ચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છેપોતાના પડતર પ્રશ્નને લઈને કર્મચારીઓ હવે ટ્રસ્ટની નીતિ સામે વિરોધ નોંધાવી રહ્યા છે.

શ્રાવણ માસના પ્રારંભ સાથે કર્મચારીઓએ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટને ચિંતાગ્રસ્ત અવસ્થામાં મૂકી દીધું છે.પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કર્મચારીઓ ટ્રસ્ટ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અને ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ કમર્ચારીઓ વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા છેછેલ્લા 15 મહિનાથી તેમના વેતનના સેટલમેન્ટ અંગેનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા ટલ્લે ચઢાવી દીધો હોવાથી કર્મચારીઓએ ટ્રસ્ટ સામે વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે,અને જ્યાં સુધી તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આખા શ્રાવણ માસ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરશે તેમ જાણવા મળ્યું છે.અને તેમછતાં પણ ટ્રસ્ટ દ્વારા કોઈ ઉકેલ લાવવામાં નહીં આવેતો આવનાર સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ કર્મચારીઓએ ઉચ્ચારી હતી.

સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હિરા જોટવા પણ કર્મચારીઓના સમર્થનમાં આવ્યા હતા.અને વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓને યોગ્ય ન્યાય મળે તે માટે પ્રયાસ કરવાનું જણાવ્યું હતું.

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.