બનાસકાંઠા : પાલનપુર જવેલર્સના વેપારીને મિત્ર દ્વારા ખોટા કેસમાં ફસાવીને ઠગવાનો પ્લાન નિષ્ફળ

પાલનપુરમાં પોલીસની ઓળખ આપી વેપારીને તેના મિત્ર દ્વારા જ NDPS ના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 1 લાખ 50 હજારની માંગણી કરવામાં આવી હતી.

New Update

પાલનપુરમાં પોલીસની ઓળખ આપી વેપારીને તેના મિત્ર દ્વારા જ NDPS ના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા લાખ 50 હજારની માંગણી કરવામાં આવી હતી.

અને જવેલર્સના વેપારી પાસે પૈસા પડાવવા તેના મિત્રએ જ કાવતરું કરી બળજબરી પૂર્વક 57 હજાર પડાવી લીધા હતા. જોકે ઘટનામાં વેપારીને છેતરાયા હોવાની ભણક આવી જતા તેઓએ પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી,અને પોલીસે બે શખ્સોને દબોચી લીધા હતા.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલ બારડપુરા વિસ્તારમાં સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા અને શુકુન સોસાયટી પારપડા રોડ પર રહેતા વેપારી પ્રેયશ હેમાંગકુમાર સોનીને તારીખ 19 જૂનની રાત્રે શક્તિનગરમાં રહેતા તેમના મિત્ર રાજ દવેનો ફોન આવ્યો હતો.અને ડેરી રોડ પર આદર્શ સ્કૂલ પાસે મળવા બોલાવ્યા હતા. અને આ સમયે તેમને વાત કરવા માટે મેદાનમાં લઈ ગયો હતો. જ્યાં વેપારીના નાઈટ ડ્રેસમાં ધીમે રહીને એક પડીકી મૂકી હતી,પરંતુ વેપારી આ પડીકી જોવા જતા તેના મિત્ર રાજ દવેએ આ નાની પડીકી પરત લઈ લીધી હતી. જોકે આ સમય દરમિયાન એક અજાણ્યો ઈસમ ત્યાં આવ્યો હતો,અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી તમે નશો કરો છો અને નશાયુકત પદાર્થ રાખો છોતેમ કહી માર મારી તેમજ વીડિયો ઉતારી NDPSના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી.અને સમાધાન પેટે લાખ 50 હજારની માંગણી કરી હતીઅંતે આ સમાધાન લાખ 50 હજારમાં નક્કી થયું હતું. જે રૂપિયા તબક્કાવાર વેપારી પાસેથી પોલીસની ઓળખ આપનાર તેમજ શક્તિનગર ડીપી પાસે રહેતા રાજ દવે અને હર્ષ વાસવાણીએ રોકડ તેમજ ઓનલાઈન 57 હજાર બળજબરી પૂર્વક પડાવી લીધા હતા. જો કે બાદમાં વેપારીને તેની પાસેથી પૈસા પડાવવા તેના મિત્રોએ જ કાવતરું રચ્યું હોવા અંગેની ભણક આવી જતા પોલીસની મદદ લીધી હતી.

વેપારીએ વિડિયો વાઇરલ કરવાની ધમકી આપતા આર્યન નાઈ,ભાવેશ ઠાકોર તેમજ પોલીસ તરીકેની ઓળખ આપનાર આકાશ ઉર્ફે અક્ષય ચૌધરી પાલનપુરવાળાઓ  વિરુદ્ધ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પોલીસે પાર્થ ઉર્ફે રાજ દવે અને આર્યન નાઈની અટકાયત કરી છે.જયારે હર્ષ વાસવાણી,આકાશ ઉર્ફે અક્ષય ચૌધરી અને ભાવેશ ઠાકોરની ધરપકડ કરવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

દેવભૂમિ દ્વારકા : થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ જગત મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા...

દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

New Update
  • થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ દેવભૂમિ દ્વારકાના મહેમાન બન્યા

  • હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે ભારત આવ્યા

  • બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિ જગત મંદિરે પધાર્યા

  • ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો

  • બન્ને પક્ષોના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી

દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમની આ યાત્રા બન્ને ધર્મો વચ્ચેના ગાઢ સંબંધો અને પરસ્પર સમજણને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. થાઈલેન્ડના ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ સૌપ્રથમ દ્વારક જગત મંદિરમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ દ્રશ્ય તેમની હિન્દુ સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા અને આદરભાવને ઉજાગર કરે છે. ત્યારબાદ, તેમણે શારદાપીઠના બ્રહ્મચારીઓ અને સ્થાનિક ગુગળી બ્રાહ્મણો સાથે ધર્મ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક મૂલ્યો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. આ ચર્ચાઓ દરમિયાન તેમણે બૌદ્ધ પરંપરાઓ અને દર્શનશાસ્ત્ર વિશે પણ માહિતી આપી હતી. જેનાથી બન્ને પક્ષોને એકબીજાના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી હતી.