વરસાદનો “વરતારો” : સુરેન્દ્રનગરના સેજકપર ગામની અનોખી પરંપરા આજેપણ અકબંધ, જુઓ કેવી રીતે થાય છે વરસાદનું અનુમાન..!

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સેજકપર ગામમાં અખાત્રીજના પવિત્ર દિવસે વરસાદનો વરતારો નિહાળવાની અનોખી પરંપરા આજના આધુનિક યુગમાં પણ યથાવત જોવા મળી

New Update
  • સાયલા તાલુકાના સેજકપર ગામમાં અનોખી પરંપરા

  • અખાત્રીજે વરસાદનો વરતારો નિહાળવાની પરંપરા

  • ચાકડા ઉપર કુંભાર બનાવે છે 4 જેટલી નાની કુલડી

  • જેને અષાઢશ્રાવણભાદરવો અને આસો નામ અપાતું

  • જે કુરડી ઝડપી ઓગળે તે માસમાં વરસે સારો વરસાદ 

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સેજકપર ગામમાં અખાત્રીજના પવિત્ર દિવસે વરસાદનો વરતારો નિહાળવાની અનોખી પરંપરા આજના આધુનિક યુગમાં પણ યથાવત જોવા મળી છે.

દર વર્ષે હજુ પણ ગુજરાતના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં અક્ષય તૃતીયા એટલે કેગામઠી ભાષામાં અખાત્રીજ તરીકેના દિવસે વરસાદનો વરતારો નિહાળવામાં આવે છેત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સેજકપર ગામમાં અખાત્રીજના પવિત્ર દિવસે વરસાદનો વરતારો નિહાળવાની અનોખી પરંપરા આજના આધુનિક યુગમાં પણ યથાવત જોવા મળી છે. સેજકપર ગામે વર્ષોથી પ્રજાપતિ સમાજ દ્વારા વરસાદનો વરતારો દર્શાવવામાં આવે છે.

જેમાં વહેલી સવારથી જ કુંભાર ભગત દ્વારા નવી માટી લાવીને ચાકડા ઉપર 4 નાની મટકી એટલે કેકુલડી બનાવવામાં આવે છે. જેને 4 માસ અષાઢશ્રાવણભાદરવો અને આસો નામ આપવામાં આવે છે. જેમાં જે માસની મટકી જેટલી ઝડપી ઓગળીને તેમાંથી પાણી સરકી જાય છેતે માસમાં વરસાદ સારો થતો હોવાની લોકોમાં માન્યતા છે.

સેજકપર ગામે રહેતા કુંભાર જેરામ પ્રજાપતિએ જણાવ્યુ હતું કેદાદા-પરદાદાના સમયથી વરસાદનો વરતારો દર્શાવવા અને નિહાળવાની પરંપરા ચાલી આવી છે. જેને હજુ સુધી જાળવી રાખવામાં આવી છે. જે ચોક્કસ દાવો ન કરતા ગામલોકોની માન્યતા પર આધાર રાખે છે. હવામાન વિભાગજ્યોતિષ શાસ્ત્રના ફળ કથન જેમ ગ્રામ્યમાં દેશી ઢબથી અલગ અલગ રીતે આગામી ચોમાસાનો વરતારો જોવાની પરંપરા આજેપણ અકબંધ રહી છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.