વરસાદનો “વરતારો” : સુરેન્દ્રનગરના સેજકપર ગામની અનોખી પરંપરા આજેપણ અકબંધ, જુઓ કેવી રીતે થાય છે વરસાદનું અનુમાન..!

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સેજકપર ગામમાં અખાત્રીજના પવિત્ર દિવસે વરસાદનો વરતારો નિહાળવાની અનોખી પરંપરા આજના આધુનિક યુગમાં પણ યથાવત જોવા મળી

New Update
  • સાયલા તાલુકાના સેજકપર ગામમાં અનોખી પરંપરા

  • અખાત્રીજે વરસાદનો વરતારો નિહાળવાની પરંપરા

  • ચાકડા ઉપર કુંભાર બનાવે છે 4 જેટલી નાની કુલડી

  • જેને અષાઢશ્રાવણભાદરવો અને આસો નામ અપાતું

  • જે કુરડી ઝડપી ઓગળે તે માસમાં વરસે સારો વરસાદ 

Advertisment

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સેજકપર ગામમાં અખાત્રીજના પવિત્ર દિવસે વરસાદનો વરતારો નિહાળવાની અનોખી પરંપરા આજના આધુનિક યુગમાં પણ યથાવત જોવા મળી છે.

દર વર્ષે હજુ પણ ગુજરાતના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં અક્ષય તૃતીયા એટલે કેગામઠી ભાષામાં અખાત્રીજ તરીકેના દિવસે વરસાદનો વરતારો નિહાળવામાં આવે છેત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સેજકપર ગામમાં અખાત્રીજના પવિત્ર દિવસે વરસાદનો વરતારો નિહાળવાની અનોખી પરંપરા આજના આધુનિક યુગમાં પણ યથાવત જોવા મળી છે. સેજકપર ગામે વર્ષોથી પ્રજાપતિ સમાજ દ્વારા વરસાદનો વરતારો દર્શાવવામાં આવે છે.

જેમાં વહેલી સવારથી જ કુંભાર ભગત દ્વારા નવી માટી લાવીને ચાકડા ઉપર 4 નાની મટકી એટલે કેકુલડી બનાવવામાં આવે છે. જેને 4 માસ અષાઢશ્રાવણભાદરવો અને આસો નામ આપવામાં આવે છે. જેમાં જે માસની મટકી જેટલી ઝડપી ઓગળીને તેમાંથી પાણી સરકી જાય છેતે માસમાં વરસાદ સારો થતો હોવાની લોકોમાં માન્યતા છે.

સેજકપર ગામે રહેતા કુંભાર જેરામ પ્રજાપતિએ જણાવ્યુ હતું કેદાદા-પરદાદાના સમયથી વરસાદનો વરતારો દર્શાવવા અને નિહાળવાની પરંપરા ચાલી આવી છે. જેને હજુ સુધી જાળવી રાખવામાં આવી છે. જે ચોક્કસ દાવો ન કરતા ગામલોકોની માન્યતા પર આધાર રાખે છે. હવામાન વિભાગજ્યોતિષ શાસ્ત્રના ફળ કથન જેમ ગ્રામ્યમાં દેશી ઢબથી અલગ અલગ રીતે આગામી ચોમાસાનો વરતારો જોવાની પરંપરા આજેપણ અકબંધ રહી છે.

Advertisment
Latest Stories