જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ યાત્રીઓના મોત

પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ  યાત્રીઓના પણ મોત નિપજ્યા છે,ભાવનગરના પિતાપુત્ર સહિત સુરતના એક યુવકને આતંકવાદીઓએ ગોળી મારી....

New Update
  • પહેલગામમાં હિચકારો આતંકી હુમલો

  • ગુજરાતના ત્રણ યાત્રીઓના નિપજ્યા મોત

  • ભાવનગરના પિતાપુત્રના મોત

  • સુરતના યુવકને પ આતંકીઓએ મારી ગોળી

  • ત્રણેય મૃતકોના વતનમાં થશે અંતિમ સંસ્કાર 

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ  યાત્રીઓના પણ મોત નિપજ્યા છે,ભાવનગરના પિતાપુત્ર સહિત સુરતના એક યુવકને આતંકવાદીઓએ ગોળી મારી હતી.મૃતકોના મૃતદેહોને વતન લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ત્રણ ગુજરાતી પણ છે. બુધવારે વહેલી સવારે ભાવનગરમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. મંગળવારે સુરતના શૈલષભાઈ હિંમતભાઈ કળથિયાનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી.

ભાવનગરના 20 લોકોનું ગ્રુપ જમ્મુ-કાશ્મીર ગયું હતું. જેમાં પિતા-પુત્રનું હુમલામાં મોત થયું હતુંજ્યારે તેમના પત્ની સહીસલામત મળી આવ્યા હતા. પિતા-પુત્રના મોતથી શોકનો માહોલ છવાઈ ગયો હતો. 45 વર્ષીય મૃતક યતીશભાઇ પરમાર હેર સલૂન ચલાવતા હતાજ્યારે તેમનો 17 વર્ષીય પુત્ર સ્મિત 11માં ધોરણમાં અભ્યાસ કરતો હતો.

ભાવનગરના મૃતક પિતા-પુત્ર અને સુરતના મૃતક શૈલેષભાઈ કળથીયાના મૃતદેહને વતનમાં લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શૈલેષ કળથીયાનો તારીખ 23મી એપ્રિલે જન્મદિવસ છે,જન્મદિનના એક દિવસ પહેલા જ તેમને આતંકીઓએ ગોળી ધરબી દીધી હતી. 

Read the Next Article

રાજ્યના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ કરાયું જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

New Update
red alrt

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

બે વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગની આગાહી મુજબ આ સમય દરમિયાન પવન ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે.  બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

જ્યારે કચ્છ,  પાટણ,  ગાંધીનગર,  મહેસાણા,  અરવલ્લી,  અમદાવાદ,  સુરેન્દ્રનગર,  મહીસાગર,  દાહોદ,  સુરત,  નર્મદા,  તાપી,  ડાંગ,  નવસારી,  વલસાડ,  દમણ,  દાદરા નગર  હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

મોરબી,  જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા,પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.