-
પહેલગામમાં હિચકારો આતંકી હુમલો
-
ગુજરાતના ત્રણ યાત્રીઓના નિપજ્યા મોત
-
ભાવનગરના પિતાપુત્રના મોત
-
સુરતના યુવકને પ આતંકીઓએ મારી ગોળી
-
ત્રણેય મૃતકોના વતનમાં થશે અંતિમ સંસ્કાર
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ યાત્રીઓના પણ મોત નિપજ્યા છે,ભાવનગરના પિતાપુત્ર સહિત સુરતના એક યુવકને આતંકવાદીઓએ ગોળી મારી હતી.મૃતકોના મૃતદેહોને વતન લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ત્રણ ગુજરાતી પણ છે. બુધવારે વહેલી સવારે ભાવનગરમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. મંગળવારે સુરતના શૈલષભાઈ હિંમતભાઈ કળથિયાનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી.
ભાવનગરના 20 લોકોનું ગ્રુપ જમ્મુ-કાશ્મીર ગયું હતું. જેમાં પિતા-પુત્રનું હુમલામાં મોત થયું હતું, જ્યારે તેમના પત્ની સહીસલામત મળી આવ્યા હતા. પિતા-પુત્રના મોતથી શોકનો માહોલ છવાઈ ગયો હતો. 45 વર્ષીય મૃતક યતીશભાઇ પરમાર હેર સલૂન ચલાવતા હતા, જ્યારે તેમનો 17 વર્ષીય પુત્ર સ્મિત 11માં ધોરણમાં અભ્યાસ કરતો હતો.
ભાવનગરના મૃતક પિતા-પુત્ર અને સુરતના મૃતક શૈલેષભાઈ કળથીયાના મૃતદેહને વતનમાં લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શૈલેષ કળથીયાનો તારીખ 23મી એપ્રિલે જન્મદિવસ છે,જન્મદિનના એક દિવસ પહેલા જ તેમને આતંકીઓએ ગોળી ધરબી દીધી હતી.