“જુનાળા”માં ઉમટ્યું ઘોડાપૂર : દિવાળીની રજાઓમાં ઐતિહાસિક નગરી જુનાગઢમાં પ્રવાસીઓનો ધસારો…

જુનાગઢ આવતા પ્રવાસીઓ ભવનાથ ક્ષેત્રમાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળો તેમજ રોપ-વે મારફત ગિરનાર જતા જોવા મળ્યા હતા.

New Update

દિવાળીના તહેવારને લઈ રજાઓ માણવા પ્રવાસીઓ બહોળી સંખ્યામાં જુનાગઢ આવી રહ્યા છેત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભવનાથ ક્ષેત્રગિરનાર પર્વત અને જુનાગઢના વિવિધ પર્યટક સ્થળોની મુલાકાત લેતા જોવા મળી રહ્યા છે.

Advertisment

ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી આવતા લોકોમાં જુનાગઢ ફરવા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છેત્યારે જુનાગઢ આવતા પ્રવાસીઓ ભવનાથ ક્ષેત્રમાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળો તેમજ રોપ-વે મારફત ગિરનાર જતા જોવા મળ્યા હતા. ગિરનાર ફરવા આવતા પ્રવાસીઓ બહોળી સંખ્યામાં રોપ-વે મારફતે માઁ અંબાના દર્શન કરવા જુનાગઢ પહોંચ્યા હતા. જોકેગિરનાર રોપ-વેના ચાર્જમાં કેટલીક ટિકિટોના દરમાં 10 ટકાનો ભાવ વધારો થયાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

બીજી તરફસરકાર દ્વારા 75 કરોડના ખર્ચે 2 વર્ષ પહેલા ઉપરકોટનું રીનોવેશન તેમજ રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતુંત્યારે નવા રંગરૂપ સાથે ઉપરકોટનો કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાતા દિવસેને દિવસે પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓને આકર્ષવા માટે ઉપરકોટ ખાતે સાયકલિંગબાળકો માટે અલગ અલગ રાઈડ્સ તેમજ ખાણીપીણીના સ્ટોલનો લોકોએ આનંદ માણ્યો હતો.

Advertisment
Read the Next Article

ભરૂચ: જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો, 33 અરજીઓનો કરાયો નિકાલ

નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે.

New Update
1

જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના  અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત કાર્યક્રમના માધ્યમથી જિલ્લાના નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરીને નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે.જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ વિવિધ પ્રકારના ૩૩ પ્રશ્નો અને અરજીઓ રજૂ કરી હતી. આ તમામ પ્રશ્નો અંગે અરજદારોને સાંભળી જિલ્લા, સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં રૂબરૂ ચર્ચા કરી સ્થળ પર તાત્કાલિક નિરાકરણ લાવી અરજદારોને સંતોષકારક જવાબ આપી અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સહિત સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Advertisment